________________ આજ્ઞાભક્તિ નિષ્કલંક રહી છે, તેવા શાસનની ઉન્નતિ કરનાર, સુદર્શન શ્રેષ્ઠીના ગુણોની અમે કેટલી સ્તુતિ કરીએ? તેઓના સંબંધમાં અમો કેટલું બોલીએ અથવા શું બોલીએ? અર્થાત્ તેઓના સંબંધમાં જેટલું બોલીએ તેટલું ઓછું જ છે.” -યોગશાસ્ત્ર (પૃ.૧૨૮) પરસ્ત્રી ત્યાગી સુદર્શન શેઠનું દૃષ્ટાંત - “પૂર્વે અંગ દેશમાં તિલક સમાન શ્રેષ્ઠ ચંપાનગરીમાં દધિવાહન રાજા રાજ્ય કરતો હતો. મહા કુલવાન અને દેવાંગના તુલ્ય રૂપવાળી અભય નામની તેને પટરાણી હતી. તેજ શહેરમાં વૃષભદાસ નામનો પરમાર્હત ભક્ત શ્રેષ્ઠિ રહેતો હતો. તેને યથાર્થ નામવાળી અર્હદાસી નામની સુશીલા સ્ત્રી હતી. તેને અનુક્રમે શુભ સ્વપ્નોથી સૂચિત સુદર્શન નામનો પુત્ર થયો. સમગ્ર કળાઓમાં પ્રવીણ થયેલા પુત્રને પિતાએ ઉત્તમ કુળની સુશીલા મનોરમા નામની કન્યા પરણાવી. સદ્ગુરુના સંયોગે સુદર્શન અને મનોરમા પરમ અર્ધભક્તો થયા અને બાર વ્રતો રૂપ ગૃહસ્થ ઘર્મ તેમણે સ્વીકાર્યો. ખરેખર અજ્ઞાનાંઘકાર દૂર કરવા માટે ગુરુ સિવાય બીજો કોઈ પ્રકાશ સમર્થ નથી. તેજ રાજાના કપિલ નામના પુરોહિત સાથે સુદર્શનને ગાઢ મૈત્રી થઈ. સુદર્શનના ઘાર્મિક તેમજ સ્વાભાવિક ગુણોથી આકર્ષાયેલો કપિલ પોતાનો કેટલોક વખત તેની પાસે જ વ્યતીત કરતો હતો. પોતાના પતિને ઘેર મોડો આવતો જોઈ સ્ત્રી કપિલાએ ઘેર મોડા આવવાનું કારણ પૂછ્યું. ગુણાનુરાગી કપિલે પોતાના મિત્ર સુદર્શનના ગુણોનું કપિલા આગળ વર્ણન કરી જણાવ્યું કે મહા ગુણવાન અને રૂપવાન સુદર્શનની મિત્રતાથી મારા આત્માને ઘન્ય માનું છું અને દિવસનો મોટો ભાગ તે સદ્ગણીની સોબતમાં પૂર્ણ કરું છું. તેથી મોડું અવાય છે. પતિમુખથી સુદર્શનના ગુણો સાંભળી વગર દેખે પણ કપિલા તેના ઉપર મોહિત થઈ પડી. ખરેખર અમૃત પણ નિર્માગી મનુષ્યોને વિષ તુલ્ય થઈ પરિણમે છે. ગમે તે પ્રયોગે કપિલાએ સુદર્શનને મળવાનો નિર્ણય કર્યો. એક દિવસ કપિલ બહારગામ ગયો. તે અવસર જોઈ કપિલા સુદર્શન પાસે આવી અને ‘તમારો મિત્ર ઘણો બીમાર છે માટે તમને બોલાવે છે એમ કહી ઊભી રહી.” સરળ હૃદયના સુદર્શને તે વાત ખરી માની અને મિત્રને મળવાને કોઈ પણ માણસને સાથે લીઘા સિવાય કપિલા સાથે ચાલી નીકળ્યો. ઘરમાં જઈ કપિલાને કહ્યું મારો મિત્ર ક્યાં છે? તેણે કહ્યું અંદર અગાશીમાં છે, આગળ જાઓ. સુદર્શન આગળ ચાલ્યો એટલે કપિલાએ દ્વાર બંધ કર્યા સુદર્શન શંકાયો. કપિલ ક્યાં છે? ફરી પૂછ્યું. કપિલાએ જવાબ આપ્યો, કપિલને બદલે આજે કપિલાને જ મળો. મારા પતિના મુખથી તમારા ગુણ સાંભળ્યા ત્યારથી મારી મનોવૃત્તિ તમારા તરફ લલચાઈ હતી. હવે આજે મારી પ્રાર્થના સફળ કરો અને મને શાંતિ આપો. સુદર્શન એકાએક સ્ત્રીના કહેવાથી મનુષ્ય સાથે લીધા સિવાય પોતાનું પરના ઘરમાં આવવું 434