SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ ભારથી મગર વઘારે ચાલી શક્યો નહીં. એટલે કાંઠા ઉપર આવીને પડ્યો. ઢીમર લોકોએ તેને પકડીને ચીર્યો, એટલે તેના ઉદરમાંથી રાજા નીકળ્યો. તેને LT 'T F કિ A /// 1 / શીતલ પવનથી સંજ્ઞા આવી. એટલે ઢીમર લોકોએ તેને પોતાને ઘેર દાસ કરીને રાખ્યો. એક વખતે રાજા મત્સ્ય લેવાને નદીમાં પેઠો, ત્યાં નદીના પૂરમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યો અને દુર્ગતિએ ગયો. અહીં રાણી કૂવામાં પડી હતી તેને કોઈ મુસાફરોએ કૂવામાંથી કાઢી. તે મુસાફરોના સાર્થપતિએ તેને કહ્યું તું કોણ છે? એમ પૂછ્યું એટલે તેણીએ પોતાનું વૃત્તાંત જે યથાર્થ હતું તે કહી બતાવ્યું. તેથી તેણે પોતાની પાસે તેને બહેન કરીને રાખી. | નદીને કાંઠે જે રાજકુમાર રહ્યો હતો તેને કોઈ વિદ્યાધરી વૈતાઢ્ય પર્વત ઉપર લઈ ગઈ; અને તેને ઘણી વિઘાઓ શીખવીને અનુક્રમે તેના પિતાના રાજ્ય ઉપર બેસાડ્યો. તે સાથે સાર્થવાહ ફરતો ફરતો રાણીના રાજ્યમાં આવ્યો ત્યાં પુત્રે માતાને ઓળખી અને પગે પડ્યો. પછી માતાને સુખી કરી. -ઉ.પ્રા.ભા.ભાગ-૨ (પૃ.૨૨૨) 403
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy