________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ હિંમેશ શિકાર કરે ? પરંતુ ક્યારેક માંસ ખાવાની તીવ્ર ઇચ્છા થાય છે ને કોઈ દિ ની શિષ્ય તે લાવી શકતા નથી ત્યારે માછલાંઓનો શિકાર કરવો પડે છે. રાજા– આશ્ચર્ય સાથે) શું મહાશય આપ માંસ પણ ખાઓ છો? મહંત–અરે જે રાજા! તું બહુ ભોળો છે. અમારા જેવા યોગી વળી માંસ ખાતા હોય? પરંતુ જ્યારે દારૂનો નશો વઘારે ચઢે છે ત્યારે માંસ ખાવાની તીવ્ર લાલસા આપોઆપ થઈ આવે છે, તેને વશ થઈને અમારે માંસ ખાવું પડે છે. રાજા–મહારાજ હું શું સાંભળું છું? આપ મદ્ય પણ પીઓ છો? મહંતે–અરે અમારા જેવા યોગી દારૂ પીએ? દારૂથી તો સર્વ યોગસાઘન નાશ પામે. પરંતુ જ્યારે કોઈ વખત વેશ્યાને ત્યાં ચાલ્યા જઈએ તો ત્યાં તેને વશ થવાથી મદ્ય પીવો પડે છે. રાજા–મહારાજ તો શું આપ વેશ્યાગમન પણ કરો છો? મહંત–ના ના વેશ્યાગમન માટે દરરોજ જવાનો અમને કંઈ અભ્યાસ નથી પણ ક્યારે પરસ્ત્રી ન મળે ત્યારે જવું પડે છે. રાજા–મહારાજ તો શું આપ પરસ્ત્રીનું પણ સેવન કરો છો? મહંત–અરે ના ના. ઘન હાથ લાગે ત્યારે તેને એવા જ કાર્યમાં ખર્ચવાનું મન થઈ જાય. રાજા–મોટા આશ્ચર્યપૂર્વક) મહારાજ, આપ ચોરી કરો છો? મહંત–અરે મૂર્ખ અમારા જેવા યોગી તે વળી ચોરી કરતા હશે? પરંતુ ક્યારેક જુગાર માં બધું ઘન હારી જવાય અને જુગારની લત છૂટે નહીં ત્યારે લાચાર બનીને ચોરી કરવી પડે છે. રાજા—આપ જુગાર પણ રમો છો? મહંત–હા, એમાં શો વાંધો છે? યથા રાજા તથા પ્રજા. એ સાંભળી રાજા ચોંકી ઉઠ્યો. પછી તે મસ્તક નમાવી બોલ્યો કે–મહારાજ હું જુગાર રમું છું, પણ આ બઘાં વ્યસનો એક જુગારમાંથી આવે છે એમ હું જાણતો નહોતો. માટે હવે હું આજથી એ જુગારનો ત્યાગ કરું છું. પછી રાજાએ મહંતને કહ્યું કે-હે મહારાજ! આપ ભવિષ્યવેત્તા છો અને સર્વ કંઈ જાણો છો તો કૃપા કરીને એટલું બતાવો કે મારા જુના બે મંત્રી દેશ છોડીને ક્યાં ચાલ્યા ગયા છે? તેઓ અત્યારે ક્યાં છે? તેમના વગર મારા રાજ્યની દુર્દશા થઈ ગઈ છે. ત્યારે મહંતે કહ્યું કે આવતી કાલે તે તને મળશે. પછી મળ્યાથી રાજાએ તેમને તેઓના પદ પર ફરી નિયુક્ત કર્યા. અને દુષ્ટ જુગારી મિત્રોની સંગત છોડી દીધી. પછી રાજ્યની વ્યવસ્થા ઉત્તમ રીતે થવા લાગી. આથી સિદ્ધ થાય છે કે જુગાર સર્વ વ્યસનોનો રાજા છે તેથી સાત વ્યસનમાં તેનું સ્થાન પ્રથમ મૂકવામાં આવ્યું છે. લા-પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧ (પૃ.૪૨૦) જુગારથી રાજા રાજ્ય હાર્યો, બુદ્ધિ બગડી અને દુર્ગતિમાં ગયો પુરંદર રાજાનું દ્રષ્ટાંત - સિદ્ધપુર નામના નગરમાં પુરંદર નામે રાજા હતો. તે સુંદર નામના કોઈ જુગારી સાથે જુગાર રમવા લાગ્યો. તે જોઈ એક વખતે તેની રાણીએ અમૃતસમાન વાણીથી રાજાને કહ્યું કે, “હે સ્વામી! જુગારથી નળરાજા અને પાંડવો પગલે પગલે નિંદાને પ્રાપ્ત 401