________________ આજ્ઞાભક્તિ તેમ જ્ઞાની પુરુષો કહે છે કે જો વાત સમજાઈ ગઈ હોય કે આ શરીર તે મારું નથી તો તેમાં રહેવા છતાં પણ આ દેહ તે મારો નથી. હું તો એથી ભિન્ન જ્ઞાની પુરુષોએ જોયો, જાણ્યો, અનુભવ્યો તેવો આત્મા છું એમ થઈ જાય. જેમ આશ્રમની ઘર્મશાળામાં કઈ ટૂટભાંગ થઈ જાય કે કંઈ કલર ઊખડી જાય તો પણ એના મનમાં દુઃખ નહીં થાય કેમ કે આ ઘર તે મારું નથી. ભરત ચક્રવર્તીને આજ વાત સમજાઈ ગઈ તેથી કેવળજ્ઞાનને પામી ગયા. આપણો આત્મા પણ ખરેખર આ દેહ, ઘર, કુટુંબાદિથી સાવ જુદો હોવા છતાં તેને મારા માનવાની ભૂલ હજુ સમજાતી નથી; તે જ આ સંસારનું મૂળિયું છે. હવે જ્ઞાની પુરુષના વચનને લક્ષમાં લઈ વિચારશે તો આ ભૂલ ભાંગશે. “મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીઘાં નહીં.” “નિત્યનિયમાદિ પાઠ” માંથી - તમારા અમૂલ્ય વચનો, દુર્લભ માનવદેહમાં મળ્યા, પણ સામાન્યમાં કાઢી નાખ્યા શાથી ભૂલી ગયો? મનુષ્યદેહ દુર્લભ છે. તેની એક ઘડી પણ અમૂલ્ય છે. તેમાં કોઈ સપુરુષનો ઉપદેશ મળવો અત્યંત દુર્લભ છે. એવા સપુરુષનાં વચનો પ્રાપ્ત થવાં ત્રણે કાળે અત્યંત દુર્લભ હોવાથી અમૂલ્ય છે, છતાં જ્યારે તે મળી આવ્યાં ત્યારે તેનું માહાસ્ય જાણ્યું નહીં. તેને સામાન્યમાં ગણી કાઢ્યાં અથવા તો પૂરાં સાંભળ્યા જ નહીં.” આત્મપ્રાપ્તિનો લક્ષ બંઘાય તો તે મેળવવા પ્રયત્ન કરે “સપુરુષના એક એક વચનને લક્ષમાં લેવાથી કોઈ કોઈ જીવ સંસાર તરી ગયા છે-મોક્ષે ગયા છે. સત્પરુષનાં વચન વિચારીને જીવે લક્ષ કરી લેવાનો છે કે હવે મારે શું કરવાનું છે? જો લક્ષ બંઘાઈ જાય તો પછી તેના પ્રયત્નમાં લાગી જાય.” આત્માનું હિત શામાં છે? એ લક્ષમાં ન લે તો સંસારથી છુટાય નહીં કોઈએ પચાસ હજાર રૂપિયા કમાવવા એમ લક્ષ કર્યો હોય અને પછી પ્રયત્ન કરે તો તેથી અર્થા પણ કમાઈ શકે; પરંતુ લક્ષ જ ન હોય તો તેવો પ્રયત્ન કરી શકે નહીં. તેવી રીતે સત્પરુષના વચનથી આત્માનું હિત શામાં છે, તે વિચારીને શું કરવું તેનો લક્ષ થવો જોઈએ. એ રીતે સપુરુષનાં વચનો લક્ષમાં લીઘા નહીં તેથી હજી સંસારનો અંત આવ્યો નથી.” (પૃ.૩૪) તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં.” જીવાદિ અનુપમ નવ તત્ત્વનો મેં ઊંડા ઊતરી વિચાર કર્યો નહીં “ભગવાને જીવ અને અજીવ અને તેના વિસ્તારરૂપે નવ તત્ત્વ અથવા છ દ્રવ્ય કહ્યાં છે. તેમાં આખા વિશ્વના પદાર્થો આવી જાય છે અને જીવને મોક્ષની પ્રાપ્તિ કેમ થાય તે દર્શાવ્યું છે. અથવા 332