________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન સંસાર ઝેર જેવો લાગે ત્યારે ભક્તિ જાગે? “પ્રશ્ન–ભક્તિ કેમ નથી જાગતી? પૂજ્યશ્રી–જીવને બીજી સંસારની ભક્તિ છે. સવારથી સાંજ સુધી દેહ અને કુટુંબની ભક્તિ કરે છે. એ એને ગમે છે. એ જ કારણથી ભક્તિ નથી ગમતી. જીવને સંસારમાં હજુ પ્રેમ છે. તે ઊઠી સંસાર ઝેર જેવો લાગે ત્યારે ભક્તિ જાગે. પછી સંસારનાં કામો ગમે નહીં. ભક્તિ નથી થતી એ દુઃખ છે. ભક્તિ હોય તો મુક્તિ સહેજે આવે.” -બો.૨ (પૃ.૭૧) આખો દિવસ દેહ અને કુટુંબની ભક્તિ કરે તો પ્રભુ પ્રત્યે ભક્તિ ક્યાંથી ઊગે ગોમતી શેઠાણીનું દ્રષ્ટાંત - “શ્રીપુર નગરમાં વસુ નામે એક શેઠ રહેતા હતા. તેને ગોમતી નામે સ્ત્રી હતી. અને ઘનપાલ નામે પુત્ર હતો. હવે વખત જતાં વસુ શેઠ મરણ પામ્યા. અને વડિલ તરીકેનો ઘરનો ભાર ગોમતી શેઠાણી પર આવ્યો. તે વખતે ઘીરજ અને સ્નેહથી કામ લેવાને બદલે શેઠાણીએ ખૂબ જ કડવી વાણીનો ઉપયોગ કરવા માંડ્યો. તેથી ઘરમાં રોજ કંકાસ થવા લાગ્યો. આથી એકવાર એના પુત્ર ઘનપાળે કહ્યું : માતાજી! હવે તમારે ઘર્મ-ભક્તિ કરવાના દિવસો છે. માટે બધી ફિકર-ચિંતા છોડીને ઘર્મકથા શ્રવણ કરો. આવતી કાલથી આપણે ત્યાં એક વિદ્વાન પંડિત દ્વારા ઘર્મકથા વંચાય તેવો હું પ્રબંઘ કરું છું અને ઘનપાળે તે મુજબ પ્રબંઘ કર્યો. બીજે દિવસે પંડિતજી એક શાસ્ત્ર લઈને તેમના ઘરે આવ્યા. અને આસન પર બેઠક જમાવીને વાંચવાની શરૂઆત કરી. તેમાં પહેલું વાક્ય વાંચ્યું કે - “સદ્ગુરુ કહે'. તે વખતે કથા સાંભળવા બેઠેલી માતાજીનું ધ્યાન ખડકીમાં ઊભેલા કૂતરા તરફ ગયું. એટલે “હડ હડ’ કરતાં ઊભાં થયા અને લાકડી વડે તેને ફટકાર્યો. પછી લાકડી ઠેકાણે મૂકીને કથા સાંભળવા બેઠાં. પંડિતજીએ ફરી વાંચ્યું કે “સદ્ગુરુ કહે તેમનું આ વાક્ય પૂરું થયું ત્યાં માજીની નજર રસોડા તરફ પડી. ત્યાં એક બિલાડી ઘીમા પગલે દૂઘની તપેલી ભણી જઈ રહી હતી. એટલે માજી “છી છી” કરતા ઊભા થયા અને રસોડામાં બધું આદું-પાછું કરીને ફરી કથા સાંભળવા બેઠા. હવે પંડિતજીએ ફરીથી શરૂઆત કરી કે “સદ્ગુરુ કહે એટલામાં વળી માજીની નજર ગાય પર પડી. ત્યાં વાછરડો છૂટી ગયો હતો. તેથી છુ છુ” કરતાં ઊભા થયા અને વાછરડાને ઠેકાણે બાંધ્યો. ત્યાંથી આવીને ફરી કથા સાંભળવા બેઠા. એટલે પંડિતજી બોલ્યા કે–“સદગુરુ કહે પણ માજીને તો કંઈ ચેન ન હતું. ( મન અહીં-તહીં ભમ્યા જ કરતું હતું. આ વખતે તેની નજર છાપરા ભણી ગઈ. ત્યાં એક કાગડો કા કા કરી રહ્યો હતો. એટલે ડોશી ઊભાં થયા અને હાથમાં લાકડી લઈને તેને ઉડાડ્યો. પાછા ડોશી ફરી પોતાને ઠેકાણે આવીને બેઠા. પંડિતજીએ “સદ્ગુરુ કહે’ વાક્યથી શરૂઆત કરી, પરંતુ તે જ વખતે કોઈ ભિખારી ત્યાં આવી ચઢ્યો. માજીનું ધ્યાન તે તરફ ગયું અને તેઓ તેને તગેડી મુકવા માટે ઉક્યાં. આ રીતે લગભગ એક મુહૂર્તકાળ વ્યતીત થઈ ગયો, પણ પંડિતજી “સદ્ગુરુ કહે થી આગળ 322