SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ નમો ઉવજઝાય ઉલ્લાસે ૫૯ हियय गुहाए नवकार केसरी जाण संठिओ निञ्च' कमट्ट गठि दा घट्ट घट्टय ताण परिनट्ट લઘુ નમસ્કાર ફળમાં કહ્યું છે કે જેઓની હૃદયરૂપી ગુફામાં નવકાર રૂપી કેસરીસિંહ નિરંતર રહેલો છે. તેઓને આઠ કર્મોની ગાંઠ રૂપી હાથીઓને સમૂહ સમરત પ્રકારે નાશ થયે છે. નવકાર મંત્ર દ્વારા આથી વિશેષ શું ફળ હોઈ શકે ? અરિહંતસિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય–સાધુ રૂપી પંચ પરમેષ્ઠિને નમસ્કાર કેટલો ફળદાયી કહ્યો કે આઠે કર્મોની ગ્રથિ તેડી નાખે. આત્મા કર્મના ભારથી પીડાય છે. જે દિવસે આ ભાર નીકળી જશે ત્યારે હળવે ફૂલ જે આત્મા એક સમયમાં સિદ્ધ શિલા પર બિરાજમાન થવાનો છે. પણ કયારે ? દ્રવ્ય અને ભાવ રૂપ નમસ્કાર હોય તે– એક ચોર મટી ચેરીઓ કરતાં પકડાયે. રાજાએ તુરંત ફાંસીને હુકમ આપી દીધું. આરતામાં સખત ગરમી છે. ચેરનું ગળું સુકાયા કરે પાણી પાણીની બુમો પાડે છે. પણ રાજાના ભયે તેને કઈ પાણી ન આપે. ચેરને પાણી વિના ભયંકર વેદના થાય છે, ત્યારે રસ્તામાં નામ તેવા ગુણવાળા જિનદાસ શ્રાવકના હૃદયમાં દયા ભાવનાના ઝણ કુટી નીકળ્યા. અહો આ ચોરૂં પાણી માટે આટલું કષ્ટ. ચોરને કહ્યું હું પાણી લાવું છું ભાઈ ! તું ત્યાં સુધી નમે અરિહંતાણ-નમો અરિહંતાણું કરજે. તને તેનાથી ખૂબ લાભ થશે. ચોરને થયું આખા ગામમાં આ એક માણસે તે મારી સંભાળ લીધી. માટે તે જે કહેતે હશે તે મારા ભલા માટે જ હશે ને ? તેથી તેણે “નમો અરિહંતાણ” જાપ શરૂ કર્યો. તેમ કરતાં ફાંસીએ ચડાવ્યો. ઘડીક પાણીના વિચાર આવે–ઘડીક શેઠનું વચન યાદ આવે તેમ કરતાં નવકાર મંત્રનું પદ ભૂલી ગયે. પરંતુ મનમાં તેને ભાવ નાશ નથી પામે, તેથી પાણીના આ ધ્યાન વચ્ચે વચ્ચે બેલ્યા કરે છે ના તળ વાંરૂ 7 =ા ક વન માં હું આણું તારું શું હતું તે તે ભૂલી ગયો છું પણ મને શેઠે જે કરવાનું કીધું હતું તે
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy