SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ નમો ઉવજઝાય ઉલ્લાસે પ૭ કઈ એક વણકરને બે સ્ત્રી હતી. કપડું વણતાં વણતાં વારંવાર તે સ્ત્રી સાથે અનંગ કીડા રૂપ કામ ચેષ્ટા કરે. તેની આ ચેષ્ટા જોઈ કોઈ મુનિ ત્યાં ઉભા રહ્યા. એટલે તે વણકરે પૂછયું કે સાધુ ! આ શું જુએ છે? સ્વપ્નમાં પણ તમને આવા ભંગ ન મળે. આ સાંભળી મુનિને અવધિજ્ઞાનના ઉપગ વડે જોયું કે વણકરનું હવે માત્ર એક ક્ષણનું આયુષ્ય બાકી રહ્યું છે. પોતાની પાસે બોલાવીને કહ્યું કે હે ભદ્ર! કેટલું જીવવા માટે તું આ કામચેષ્ટામાં ડૂબેલો છે? તારું આયુષ્ય તો હમણું પુરૂ થવાનું છે. ભયભીત વણકરે કરગરીને કહ્યું તો મને જીવવાને કઈ ઉપાય બતાવે. મુનિ મહારાજે તેને નવકાર મંત્ર આપ્યો. મંત્રની પરાવર્તન કરે તે મૃત્યુ પામ્ય, સ્વર્ગે ગયે. તેની સ્ત્રીએ મુનિને કલંક આપ્યું. પણ મુનિરાજ દેવના આવવાની રાહ જોતા ઉભા છે. થોડી જ ક્ષણેમાં દેવે આવીને કહ્યું કે આ મુનિના પ્રભાવે હું અત્યારે દુર્ગતિમાં જવાને બદલે સ્વર્ગને પામ્યો છું. આ છે શ્રી નવકાર મહામંત્રની પરાવર્તન (સ્વાધ્યાય)નું ફળ. તેને સ્વાધ્યાયનો ત્રીજો ભેદ કહ્યો. (૪) અનુપ્રેક્ષા :– સૂવાથને ઉચ્ચાર કર્યા વિના મનથી સૂત્રાથનું દયાન કરવું તે. (૫) ધમકથા :- નદિષેણ મુનિની માફક ધર્મ કથન થકી ઉપદેશ આપીને ઢાકને સંયમ માગે ચડાવવા. પરાવર્તના સ્વાધ્યાયના વણઝેરના દાખલાને આશ્રીને જ વિચારીએ તે ઉપાધ્યાય પદની એક અન્ય વ્યાખ્યા પણ ખૂબ જ સુંદર છે. अधियां वा नमः कुत्सार्थत्वात कुबुद्धि नामायो अध्यायः २मर्थात अ કારને અર્થ કુત્સિત એવો અને ધી ને અર્થ બુદ્ધિ થતું હોવાથી– જેમના વડે કુબુદ્ધિને નાશ કરાયો છે તેને ઉપાધ્યાય સમજવા. દુર્ગાનનો નાશ કરે તે ઉપાધ્યાય-મનમાં ઉત્પન્ન થતી પીડાઓ, ખરાબ વિચારો અને મનને ખરાબ દાનમાંથી મુકત કરાવનાર ઉપાથાય છે. કેમકે ઐરિતારા જ કારને અર્થ કુત્સિત થતું હોવાથી ઐ-એટલે ખરાબ ચિંતન. [દુર્થાન તેને નાશ કરે તે ઉપાધ્યાય
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy