SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ તે સિદ્ધ પ્રણમાં રંગે રે ३७ સિદ્ધોના જીવની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ધનુષ હોય છે–મધ્યમ અવગાહના ૪ હાથની કહેલી છે અને જઘન્ય અવગાહના ૧ હાથ આઠ અંગુલથી કંઈક વિશેષ છે. આવા સિદ્ધો તે સિદ્ધ શિલા ઉપર નિમળ સિદ્ધ શિલાની ઉપરે, જેયણ એક લોગત સાદિ અનંત તિહાં સ્થિતિ જેહની તે સિદ્ધ પ્રણમે સંતરે–ભવિકા– સિદ્ધી દુનિયાને શીખવે છે કે જન્મ-જા-મરણ હિત થવું હોય તે આ દશાએ આવે–તજ સંપૂર્ણ સુખના ભાગી થશે. વળી આ સ્થાન નિત્ય છે. સંસારનું સુખ આવે અને જાય પણ સિદ્ધોનું સુખ તે નિત્ય. ત્યાં ગયા પછી સુખમાં ઘટાડો નહીં. આનંદમાં ઘટાડો નહીં. આવા સિદ્ધોને નમસ્કાર કરવાને છે. - આજે ખુરશી સલામના યુગમાં જ્યાં ખુરશી સલામતીની ખાત્રી નથી ત્યાં પણ ગાદીએ બેઠો રાજા માને છે ને? તે આ તે નિત્ય સ્થાન છે –કદાપી ત્યાંથી ચુત થવાનું નથી, પાછાં જેટલાં સુખમાં તેઓ છે તેટલું જ સુખ આપણને આપે છે તે તેને નમવામાં વાં શ? માટે કહ્યું તે સિદ્ધ પ્રણો રંગ રે – ભવિકા – જે એક નમસ્કારમાં આટલું માહાતમ્ય ભર્યું તો સમગ્ર નમસ્કાર મંત્રનું મહત્વ કેટલું ? ચંપાપુરીમાં કષભદાસ નામે શ્રેષ્ઠી તેને અહંદાસી નામે શીલવતી સ્ત્રી હતી. સુભગ નામે ભેંસ ચારનાર નેકર, શેઠના ઢોર ચારે અને સાંજે ઘર તરફ લાવે. એવામાં એક વખત માર્ગમાં ટાઢને સહન કરતાં કોઈ મુનિને કાઉસગ્ગ યાને ઉભેલાં જોયા, તેમને જોઈ તેમની પ્રશંસા કરતે ઘેર આવ્યું. બીજે દિવસે પણ તેને જોઈ સુભગ પગે લાગીને ત્યાં બેઠે. ચારણ મુનિ તે સૂર્યોદય થતાં નમે અરિહંતાણું બોલી આકાશમાં ઉડી ગયા.
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy