SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ મર્યા તે તે સાત હરણાં–દરબાર. બસ તે દિથી આજ લગી એ પરગજુ હરણાંની અમે પૂજા કરીએ છીએ. જુઓ ! એક જન્મ માટે બલીદાન દેનારા હરણ પણ પૂજવા ગ્ય ગણતા હોય તે સિદ્ધ ભગવંતે તો અનંતા જન્મ મરણના નિગઢના દુઃખમાંથી બચાવે છે. તે પછી શા માટે તે સિદ્ધ ભગવંતોની પૂજા નહીં? નમસ્કાર કેમ નહીં તે સિંધ પ્રમે રગ રે–ભવિકા બેલે નમો સિદ્ધાણું” જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મોથી સર્વથા મુક્ત થયેલ વિશુદ્ધ આત્મા તે સિદ્ધ. (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૩) અનંત ચારિત્ર (૪) અવ્યાબાધ સુખ (૫) અક્ષય સ્થિતિ (૬) અરૂપી પણ (૭) અગુરુ લઘુત્વ (૮) અનંત વીર્ય. અજ અવિનાશી અકળ અજરામર કેવલ દશણું નાણજી અવ્યાબાધ અનંત વીરજ સિદધ પ્રણ ભવુિં પ્રાણી ભવિયણ ભજીયેજી આ આઠ લક્ષણે માનવાથી કર્મક્ષય સિદ્ધનો જ સિદ્ધ તરીકે સ્વીકાર કર્યો. તેમાં મંત્ર સિદ્ધ–વિદ્યા સિદ્ધ કે યોગ સિદ્ધ વગેરેને સમાવેશ થ નથી. પંચ પરમેષ્ઠિમાં પ્રથમ નમસ્કાર અરિહને પછી સિદ્ધોને. પણ કેવા સિદ્ધાને? અરિહંતના શાસનવાળા સિદ્ધોને. કર્મક્ષય કર્યા છે તેવા સિદ્ધોને, | ઉપર જણાવેલા આઠ લક્ષણવાળા સિદ્ધોને. તીર્થકર નામ કમ માત્ર જૈન દર્શનનું પ્રદાન છે પણ સિદ્ધની માન્યતા–મેક્ષને માનનાર આસ્તિક માત્ર છે માટે–નમે–સિદ્ધાણં– કર્મના બંધને છેડે ત્યારે સિદ્ધ થાય, પણ કર્મના બંધને કેવા છે? તેમાંથી સામાન્ય પ્રાણી તે શું ચકવતી કે વાસુદેવ પણ છટકી શકે નહીં અને ખુદ તીર્થકરો પણ છટકી શક્યા નથી. ક્ષપક શ્રેણી
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy