SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ કરો શ્રી સંઘ બહુમાન ૩૧૯ સંપત્તિને અનુસાર અતિ આદર અને બહુમાન પૂર્વક સાધુ–સાવીને યોગ્ય નિર્દોષ અને તે પણ સંયમમાં ઉપકારક વસ્ત્ર, કામળ, રજોહરણ, સુતર, ઉન, પાત્રા, દાંડા, દાંડી સોય, કાંટો કાઢવાને ચીપીઓ, કાગળ, કલમ, પુસ્તક વગેરે વહોરાવવા. શ્રાદ્ધદિન કૃત્ય ગાથા ૧૭૮માં જણાવે છે वस्थं पत्तं च पुत्थं च कंबलं पायपुछणं दंडं सथारयं सिज्ज अन्नं जंकिंचि सुज्झइ વસ્ત્ર–પાત્ર તથા પુસ્તક, કમળ, પાદ છઠ, દાંડે, સંથારીયું, શચ્યા તથા બીજું પણ સંયમને ઉપકારક જે કોઈ સાધુને ચગ્ય શુદ્ધ કે કાઢવસ્તુ હોય તે વહોરાવવી [આપવી જોઈ એ. અને એ રીતે સાધુ–સાદી રૂપ શ્રમણ સંઘની પૂજા–ભક્તિ કરવી જાઈએ. શ્રાવક-શ્રાવિકારૂપ સંઘની ભક્તિ બહુમાન પ્રગટ કરતાં જણાવે કે તેમને પણ સત્કાર કરે. શક્તિ મુજબ પહેરામણી કરવી અને ભાવ બહુમાન માટે ધર્મમાગમાં સ્થિર કરવા જોઈએ. શ્રી સંઘ-બહુમાન જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ એવા ત્રણ ભેદે જણાવેલું છે. સર્વ શક્તિ વડે સેલ શ્રી સંઘને સર્વ પ્રકારે વિશિષ્ટ પહેરામણી વગેરે આપીને સત્કાર કરે તે ઉત્કૃષ્ટ સંઘ બહુમાન. શક્તિના અભાવે માત્ર સુતર જેવી અલ્પ કિંમતની વસ્તુ વડે સત્કાર કરો. અથવા માત્ર એક બે જ સાધુ-સાવી કેશ્રાવક-શ્રાવિકાની ભક્તિ કરવી તે જઘન્ય સંઘ બહુમાન. આ ઉત્કૃષ્ટ સંઘ બહુમાન તથા જઘન્ય સંઘ બહુમાનના વચ્ચગાળાની સત્કાર અને પ્રીતિપૂર્વકની જે ભક્તિ તે સઘળું મમ સંઘ બહુમાન કે સંઘ પૂજા સમજવા. માત્ર તમે તે એક સંદેશો પકડી લે પહેલાં કે કરો શ્રી સંઘ બહુમાન. બહુમાન હોવું તે મહત્ત્વનું છે. પછી માત્ર એક મુહપત્તિ કે સોપારી પણ આપી શકે. તેમાં કેટલું આપ્યું તે દ્રવ્ય પરિમાણથી બહુમાનનું માપ નથી નીકળતું. તે માટે હૃદયમાં કેટલો આદર કે બહુમાન ભરેલું છે તે વસ્તુની કિંમત છે.
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy