SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ભીનારા કેળવે અંતરની २७७ આ તરફ સિંહ ગાયને મારી નાખવા ઉછાળા મારી રહ્યો છે પણ તલવારના ભયે આગળ વધી શકતો નથી. ત્યારે ઝાડ પર બેઠેલા પોપટ બોલ્યો તે માલવેશ્વર ! સ્વભાવે જ આજ કે કાલ મરી જનારી ગાય માટે તારા પ્રાણોને શા માટે અર્પણ કરી રહ્યો છે? તેનાં કરતા આ વડ ઉપર ચડી જા. રાજા કહે છે શુકરાજ ! તમારે આ પ્રમાણે બોલવું ન જોઇએ. કારણ કે બીજાનાં પ્રાણ વડે પોતાનું રક્ષણ તે બધાં જ કરે છે. પણ પિતાના પ્રાણો વડે બીજાનાં પ્રાણનું રક્ષણ કરનાર કેઈક જ હોય છે. સઘળાં ધર્મોમાં પ્રધાન એવા કરુણ–દયા ધર્મ સિવાય બધાં ગુણે નકામા છે. દયા જ ધર્મરૂપી કલ્પવૃક્ષનું બીજ છે. સવાર પડતાં જ્યાં વિક્રમાદિત્ય રાજા જુએ તો ગાયસિંહ કે પોપટ કોઈ નજર ન પડે. તેટલામાં બે દેવે પ્રગટ થયા. ખરેખર હે રાજન ! તારા દયા અને કરુણા ભાવનાના જે વખાણ સાંભળેલા હતા તે જ તું છે માટે જે જોઈએ તે માંગી લે. રાજાએ કઈ ઈચ્છા પ્રગટ ન કરી ત્યારે દેવો એ તેને કામધેનુ ગાય આપી સ્વસ્થાને પ્રયાણ કર્યું. રસ્તામાં કેઈ બ્રાહ્મણ મળે, કહ્યું કે આ બાળકની માતા મૃત્યુ પામી છે હવે આ બાળક દુધ વગર રહી. શકતા નથી તો શું કરું ? કરુણા હૃદયવાળા રાજાએ તે બ્રાહ્મણને કામધેનુ ગાય આપી વિદાય કર્યો. શ્રાવકે તમે પણ આ રીતે ભીનાશ કેળવે અંતરની અને છે જીવ કરુણું નામક કર્તવ્યની ગ્ય પરિપાલના કરો. પ્રશ્ન – અહીં કયાંક દયા અને ક્યાંક કરુણા શબ્દ આવે છે તેમ કેમ? સમાધાન – મૂળ શબ્દ તો છ ની જળ જ લખ્યો છે. પણ કરુણા એ દયાની જનની છે. જેમ માટી હોય તેમાંથી ઘડે થઈ શકે પણ તેને મૂળમાં તો માટી જ રહેલી છે. તે રીતે કરુણ હોય તે યા જમવાની છે. કેમકે દયાનું મૂળ કરુણા ભાવ છે. દત્ત નિરત મવસ્તુ મૂતળા : એ કરુણા ભાવના છે. તેમાંથી દયાને આવિર્ભાવ થતો હોવાથી અહીં બંને શબ્દો પર્યાયની જેમ આવ્યા કરે છે. ભાવને જ પકડવા માટે બંને શબ્દ ને પર્યાયવત્ સમજી લેશે તે પણ શ્રાવકનું મૂળ કર્તવ્ય શું છે તે સ્પષ્ટ થઈ જશે.
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy