SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ २७४ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ - - - - - - - આ જગતમાં કુંથુઆથી માંડીને ઈદ્ર પર્યન્તના સર્વ સુખની જ ઈચ્છા રાખે છે. પણ કષાય-અવિરતિ પ્રમાદ અને રાગદ્વેષની પરિણતિ વગેરે પ્રબળ કારણોને લીધે સુખનું જે સાચું કારણ ધર્મ છે, તેનું પાલન થતું નથી. જ્યાં સુધી જિનેક્ત ધર્મનું યથાર્થ આરાધન ન થાય ત્યાં સુધી સુખની ઈચ્છા રાખનારને સ્વપ્નમાં પગ સુખ કયાંથી હોઈ શકે? ધમ પાયે છે અહિંસા. દરેક પ્રાણીને જીવવાની આશા છે. મરણની વાત માત્રથી જ ભય બ્રાંત બની જાય છે. એટલે આ અનાથ-અશરણ પ્રાણીઓ પ્રત્યે પૂર્ણ કરુણું ભાવ રાખી તેઓને શકય તેટલું અભયદાન આપવાની પ્રવૃત્તિમાં રત થઈ સુખના અભિલાષી પ્રાણીઓ એ જીવદયા પાળવા પ્રયત્નશીલ બનવું જોઈએ. આર્યા વર્તન તમામ દર્શને પણ અહિંસાને પરમ [ શ્રેષ્ઠ ] દર્શન માને છે. તે માટે લખ્યું પણ છે. ददातु दानं विदधातु मौनं वेदादिकं चापि विदांकरोतु देवादिकं ध्यायतु सन्ततंवा न चेद्दया निष्फलमेवसर्वम् દાન આપે – મૌન ધારણ કરો – વેદાદિક અથવા બીજા ગમે તે શાસ્ત્રોને જાણે અને નિરંતર દેવાદિકનું ધ્યાન કરો. પણ જે એક દયા નથી તે આ બધું જ નિષ્ફળ છે એટલે કે દયા વગરને આ બધો ધર્મ રાખમાં ઘી હોમ કરવા બરાબર છે. અર્ણિકા પુત્ર આચાર્યએ શ્રુત જ્ઞાનના ઉપયોગ દ્વારા દુષ્કાળ પડવાને છે તેમ જાણ્યું. પોતાના ગરછને બીજા દેશમાં મોકલ્યા. પિતે અતિવૃદ્ધ હોવાથી ત્યાં જ રહ્યા હતા. તે વખતે તેમની નિરંતર સેવામાં રત એવા સાધ્વી પુષ્પ ચુલાને વૈયાવચ્ચના પ્રભાવે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. અર્ણિકા પુત્ર આચાર્યને જેવી ખબર પડી કે આ તે મારા વડે કેવળીની આશાતના થઈ ગઈ કે તુરત મિચ્છામિ દુક્કડમ આપીને પૂછયું કે હે ભગવનું મારો મોક્ષ થશે કે નહીં? કેવલી ભગવંતે જણાવ્યું કે આ જ ભવમાં તમને ગંગા નદી ઉતરત કેવળજ્ઞાન થશે. તે આચાર્ય મહારાજને ખરેખર જ્યારે ગંગા નદી પાર કરવાનો પ્રસંગ ઉભો થયે. ત્યારે નદી ઉતરવા માટે નાવમાં બેઠા. પણ જે બાજુ
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy