SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ આપી– ઉપાધ્યાયે શીખામણ આપી સ્થીર કર્યા–સાઇ એ મેક્ષ નાર્ગ માટે મદદ કરી તે ગણધર મહારાજાએ પણ પાંચે ગુણવાનું ને ગુણને કારણે વંદન કર્યા. “નમો પણ કેને? –ારહિંત-સિદ્ધ–ારાય–ઉપાધ્યાય–સાધુને આ રીતે તમારું કરવાથી–મંત્ર જાપથી તે લાભ જ છે પણ તેનું શ્રવણ પણ કેટલું લાભદાયી છે અંગે એક ઐતિહાસિક પ્રસંઇ છે. ભરૂચ પાસે વનના ઝાડ ઉપર એક સમળીને કઈ પારધીએ બાણથી વીંધી નાખી. પણ જેવી નીચે પડી તરફડતી હતી કે તે સમયે કોઈ મુનીરાજે તેને નવકાર સંભળાવ્યું. નવકાર મંત્રના પ્રભાવે તે સમળી મરીને સિંહલ દેશના રાજાની માનવંતી કજકુમારી બની. તરુણાવસ્થાને પામેલી કુંવરી રાજસભામાં બેઠી હતી ત્યારે તેને છીંક આવતા પાસે રહેલા કોઈ વેપારીએ કહ્યું ન–અરિહંતાણ. આટલું ઉચ્ચારણ સાંભળતાં ઉહાપોહ કરતા રાજકુમારીને જાતિ રમણ જ્ઞાન થયું. જમણીએ પિતાજી પાસે ૫૦૦ વહાણ તૈયાર કરાવ્યા. જે સ્થળે તેને મુનિરાજે નવકાર મંત્ર સંભળાવેલી તે ભરૂચ નગરીએ આવી માં અવાવબોધ તીર્થને ઉદ્ધાર કરાવીને ત્યાં સમળી વિહાર (1ષ્ણુના વિદ્યાર)ના તીર્થ સ્થાપના કરી જે આજે પણ અસ્તિત્વમાં છે भोयण समए सगणे, विवाहणे पवेसणे भए वसा प'च नमुककार' खलु, समरिजा सव्य काल पि ઉપદેશ તરંગીણી ગ્રન્થમાં જણાવે કે ભોજન સમયે, શરન સમયે, જામવાના સમયે પ્રવેશ સમયે, ભય કે કષ્ટ સમજે અને વળી સર્વ કાલે (ખરેખર) પાંચ નવકાર મંત્રનું સ્મરણ કરવું જોઈએ. ઉપદેશ તરંગીણીમાં આગળ વધીને કહ્યું કે મરણના ક્ષણે પાંચ પરમેષ્ઠી રૂપ પાંચ રત્નને જે મુખને વિશે ધારણ કરે છે તેથી ભવાન્તરને વિશે સદગતિ થાય છે જુઓને સમળીને જીવ કેટલે હિંસક ગણાય. કદી અહિંસાની વિચારણા પણ કરતી નથી, છ તેવા તિર્યચના જીવને પણ અંત સમયે સાંભળેલ નવકાર ભાવિમાં ધર્મ અને સુખ દેનારો બન્યો.
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy