SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ તમે જે નારકીના દ્વાર બંધ કરવા ઈચ્છતા હો તે માત્ર એક રસ્તો છે. આરાધક બનવાની કળા શીખો અને લોભ સહિત સર્વ કષાયને ઉપશમાવનારા બ. કહેવાય છે કે અતિ લેભ રૂપી પિશાચે જેનું ચિત્ત ગ્રસ્ત કર્યું છે તેવા સ્યા પુરુષ વિપત્તિ પામતા નથી. કારણ કે જેમ ચકીનું પદ પામ્યા પછી પણ પણ સુભ્રમ, રાજ્યના લાભથી સાતમી નરકે ગયે. માટે સંતોષ ગુણને વિકસાવા અને લેભ કષાયને પરિહાર કરે. આ રીતે કોધ-માન-માયા-લોભ ચારે કષાયોની ઉપશાંતિ પૂર્વક ઉપશમન નામના ગુણને ધારણ કરવા રૂપ શ્રાવકના પચીસમાં કર્તવ્ય નું પાલન કરે. કોધ-માન-માયા-લોભ ચારે કષાયે સમ્યફ ચારિત્રના ઘાતકે અને સમભાવની પ્રાપ્તિમાં મહાન અંતરાયરૂપ છે. માટે માત્ર કોઈને કષાય માની ન લેતા ચારે કલાને કષાય રૂપે સ્વીકારી જલદી દૂર કરવા પ્રયત્ન શીલ બની શકીએ તે જ આપણે આરાધક બનવાની કળામાં પારંગતતા આવશે કેમ કે લો કવરમરૂ તરત ગથિ દાદા એ આગમ વાક્ય છે. પ્રજવલિત અગ્નિ વિના જેમ સોનાની કઠોરતા દૂર થઈ શકતી નથી તેમ ઈદ્રિ પર વિજય મેળવ્યા વિના કષાયે જીતી શકાતા નથી માટે જે આરાધક બનવું હોય તે આપણે ઇન્દ્રિયને જય કરીને ૦ કોધને ક્ષમાં ગુણ વડે ૦ માનને નમ્રતા ગુણ વડે ૦ માયાને સરળતા ગુણે ૮ લાભને સંતોષ ગુણે ઉપશાંત કરી શ્રાવકોએ ઉપશમ ભાવમાં મગ્ન રહેવું જોઈએ. કારણકે–પૂર્વે કહ્યા અનુસાર જ્યાં સુધી સંજવલન આદિ ચાર પ્રકારે કોધાદિ કષાયને ઉદય હશે ત્યાં સુધી ક્રમશઃ યથાખ્યાત ચારિત્ર. સર્વવિરતિ, દેશવિરતિ અને સમ્યકતવ પ્રાપ્ત થશે નહીં માટે અવિરતિ સમ્યગ દષ્ટિ રૂપ માત્ર એ ગુણ સ્થાન પ્રાપ્ત કરવા પણ ઉપશમ ગુણની ધારણા જરૂરી બનવાની. ઉપશમ બળે થયેલા અંતકૃત કેવળી ને નમસ્કાર કરી એટલે જ સંકલ્પ કરો કે વો યમરૂ તરસ થિ ગરાળાનું વાક્ય જીવનમાં સાર્થક કરીશુ.
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy