SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ બાવાજી કહે રાજાને શ્મશાને લઇ ગયા ત્યારે ભવ્ય શ્મશાન યાત્રા હેવાતી હતી. અને ભિખારીને કૂતરાને મેાતે ઢસડી લાવ્યા. જે રાખમાં કાંઈ ફેર ન હાય તે! ભવ્ય શું? ૨૧૮ આપણે રથયાત્રામાં ભવ્ય શબ્દ વાપરીએ છતાં ખ્યાલમાં રાખવાની વાત એ છે કે ભવ્ય શબ્દ ફ્રજનું ભાન કરાવે છે. શ્રાવકે એ આવે! ભવ્ય રથ અને ભવ્ય યાત્રા કાઢવી જોઈએ. “નહી' કે અમારા ગામની રથયાત્રા જોઇને બીજે ગામ ગયા એટલે એલવુડ કે અરેરે તમારે તે કાંઈ ઠામ ઠેકાણું નથી ! આવે! કલકત્તા, રથયાત્રા કેને કહેવાય તે તમને ખબર પડે. કલકત્તા કે જામનગરની યાત્રા ભવ્ય ખરી પણ બીજાની રથયાત્રાની અનુમેદના તો કરવી જ જોઈએ. કેમકે રથયાત્રા એ શ્રાવકની કરણી છે. તેમાં થ કે યાત્રા સાથે ભાવની ભવ્યતા પણ સ`ડાયેલી હાવી જોઈએ. નહી તેા રાજા કે ભિક્ષુકની રાખની જેમ પરિણામે ફાઈ ફેરફાર નહી રહે. ભવ્યાતિભવ્ય યાત્રા નીકળી પણ હૃદયમાં ભાવ નામની કાઈ ચીજ ન મળે તેા શું કામનું? ખીજા કરતાં અમે ચડીયાતા તેવા અહમ કે અભિમાન હેાય અથવા મને નિમત્રણ મળે તા જ હું રથયાત્રામાં જોડાવુ', તેવા પ્રકારની માન્યતાવાળો રથયાત્રાને સમજ્યા જ નથી. રથયાત્રા તા ત્યારે જ ભવ્ય અને જ્યારે તે અંતરયાત્રામાં પરિણમી ભવભ્રમણને ઘટાડનારી અને. શ્રાદ્ધ દિનનૃત્યમાં રથયાત્રાને સમજાવતા લખ્યું કે પરમાત્માનાં રથને શ્વેત છત્ર, ચામર પતાકાઓ વડે સુશામત કરીને અનેક પ્રકારના વાજીત્રા વડે આકાશને ભરી દઈ ને—ધવળ મંગળના શબ્દો વડે દિશાઓને બધીર કરી દેતાં–વિવિધ પ્રકારના નરનારીના લલિત એવા હાસ્ય અને સેકડા માગધજનાના મંગળ શબ્દો વડે આકાશને વ્યાપત કરતાં, સર્વત્ર અસ્ખલિત પણે શૃંગાટક, ત્રિક, ચતુષ્ટ, ચતુર્મુખ અને મહામાર્ગોમાં જૈન શાસનની પ્રભાવનાના હેતુથી ફેરવે તેને રથયાત્રા સમજવી.
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy