SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ આ પ્રમાણે ભાવપૂજા(ચૈત્યવંદન–સ્તુતિ કરતા દિશિ વર્જનત્રિક જાળવવી. उड्ढाहि तिरिआणति दिसाण निरिवलं चइज्जहवा पच्छिम दाहिण वामाण जिण मुहन्नत्थ दिहि जुओ ઉદર્વ અધે અને આસપાસની એ ત્રણે દિશામાં અથવા–જમણું ડાબું કે પાછળ-જેવું નહીં. પણ ભાવપૂજા કરતી વેળા જિનબિંબનું મુખ નિહાળવું–સન્મુખ દૃષ્ટિ સ્થિર રાખવી. કેમકે ચક્ષુપણ મનની પહેજ ચપળ હોવાથી સ્થિર રહી શકશે નહીં. માટે એકાગ્રતા ટકાવવા દિશિ વર્જનવિકનું પાલન કરી ભાવપૂજામાં સ્થિરતા કેળવીને ભાવે જિનવર પૂજીએ ઉક્તિ સાર્થક કરવી. ભાવપૂજા કરતી વખતે જિનેશ્વર પરમાત્માને પંચાંગી પ્રણામ કરો ત્યારે બીજી મહત્ત્વની વિધિ છે ભૂમિ પ્રમાર્જન. જે રસ્થાને ચૈત્યવંદન કરો તે સ્થાને કોઈ ત્રસાદિ જંતુ ન હણાય તે માટે પ્રથમ તે ભૂમિને વસ્ત્ર વડે પ્રમાઈને સ્વરછ તથા જતુ રહિત કરવી. ઉત્તરાસંગ ખિસ ના છેડા વડે ત્રણ વખત ભૂમિ પ્રમાર્જિવી તે પ્રમાજને ત્રિક, જે પૌષધ હોય તો ચરવળા વડે ભૂમિની પ્રમાર્જના કરે કેમકે જણાએ ધમની માતા છે. ભાવપૂજા -ચૈત્યવંદન માટે રાવણને ઉત્તમ પ્રસંગ રામાયણમાં વર્ણવ્યા છે. રાવણ હમેશા શાંતિનાથ પ્રભુની ભક્તિ કરે. એક વખત તે પુષ્પક વિમાનમાં બેસી પિતાની પટ્ટરાણે મંદોદરી સહિત અષ્ટાપદ તીર્થ ગયેલ હતા. ત્યાં ભરત ચક્રીએ કરાવેલા ચૌમુખ જિનાલયમાં ભાવપૂજા કરી રહ્યું હતું. ત્યારે નાગપતિ ધરણેન્દ્ર ત્યાં આવીને ચાવીશ તીર્થકરોને નમસ્કાર કરી બેઠા. રાવણે તેની પાસે અષ્ટાપદ તીર્થનું માહાસ્ય સાંભળી ઘણું જ હર્ષ પૂર્વક ભક્તિ ગાન શરૂ કર્યું. તે વખતે તેની પ્રાણપ્રિયા મંદદરી નૃત્ય કરી રહી હતી. પિતે વીણું વાદનમાં મશગુલ હતા ત્યાં અચાનક વીણાની એક તંત્રી તુટી ગઈ. તે સમયે નૃત્યમાં મશગુલ પ્રિયાના ભાવને ભંગ ન થાઓ તેમ વિચારી તત્કાલ પિતાના હાથમાંથી એક નસ ખેંચી કાઢી વીણામાં જોડી દીધી. ત્યારે વીણાને અવાજ પ્રથમ કરતા પણ સુંદર આવવા લાગે. નૃત્યની
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy