SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પરા પ્રકારે પ્રભુજી પૂજે ૧પ૯ ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે ઓર ન ચાહું કત રીઝ સાહિબ સંગ ન પરિહરે રે ભાંગે સાદિ અનંત.. જે ધણી કેવળજ્ઞાન વડે આપણું બધું જ જાણવા છતાં કાંઈ ન બોલે, અને જેનાં સંગે સાદિ અનંત ભાગે જન્મ-મરણ ફેરા ટળી જાય તેવા ધણીની પૂજામાં કઈ કચાશ રખાય ખરી? અપૂજાનો અધિકાર પંચ પ્રકારે પ્રભુજી પૂજે સાથે અષ્ટપ્રકારી યાને દ્રવ્ય પૂજાધિકાર પૂરો થાય છે. છતાં વિશેષે જણાવતાં લખ્યું કે– गंधव्व नट्ट वाइअ लवणाजलारतिआइ दीवाई जं कि च्चं तं सव्वंपि ओअरई अग्गपूआए ત્યવંદન બ્રહદભાષ્યમાં જણાવે છે કે ગાન કરવું–નાચ કરેવાજીંત્ર વગાડવા-લુણ ઉતાવું–આરતી દીપક ઉતારવા વગેરે જે જે કર્યો છે તે તે સર્વે અગ્રપૂજામાં ગણાય છે. અગ્રપૂજાના અધિકારમાં ઉત્તમ ડાંગરના અખંડ ચેખા વડે અષ્ટ મંગલનું આલેખન કરવું તે પણ વિધિમાં ગણાવેલ છે. (૧) દર્પણ (૨) ભદ્રાસન (૩) વર્ધ્વમાન [ શરાવ–સંપુટ] (૪) શ્રી વત્સ (૫) મચ યુગલ (૬) સ્વસ્તિક (૭) કુંભ (૮) નંદાવર્ત જો કે આ રીતે અષ્ટ મંગલ ન આલેખાતા હોવાથી તૈયાર પાટલી પ્રભુજી સન્મુખ રાખીને પૂજા કરાય છે.] આ રીતે અંગપૂજા પછી અગ્રપૂજા પછી પૂજાત્રિકની ત્રીજી ભાવપૂજાને અધિકાર ચાલે. બીજા શબ્દોમાં કહીએ તે તમામ પ્રકારે દ્રવ્ય પૂજા કર્યા બાદ ચિત્યવંદન રૂ૫ ભાવપૂજા શરૂ કરવાની હોય. તે ભાવ પૂજા પૂર્વે ત્રીજી નિસાહિ બલવાની. ફરી નિસાહિત્રિક સંભારે. 0 જિનાલયે પ્રવેશતા પ્રથમ નિશીહિ કહો એટલે સંસારના કર્યો ત્યાગ થશે. 0 અંગપૂજાના આરંભે બીજી નિસાહિ બોલે ત્યાં જિનાલય સંબંધિ બીજી વાતચિત કે કાર્યોને ત્યાગ થશે.
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy