SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ સમ્યક્ પ્રકારે ચારે તરફથી આત્માને ઓળખે એટલે કે “સ્વ” નું અધ્યયન કરે. મેટા મેટા શાસ્ત્ર વાંચી જાય કે લાંબા લાંબા વ્યાખ્યાને ઝાડી દે અથવા જ્ઞાનસાગરમાં ડૂબકી મારી દે તો પણ જ્યાં સુધી આમ પ્રદેશમાં રમણ ન કરે ત્યાં સુધી કશો લાભ થશે નહીં. જેમાં તેલના હાજમાં ડુબકી મારવાથી કંઈ શરીરમાં પુછી મળતી નથી. તેમ જ્ઞાન સમુદ્રમાં પણ ડૂબકી મારવા માત્રથી કોઈ સમ્યગ જ્ઞાન પ્રાપ્ત કરતું નથી. બૌદ્ધ સાહિત્યમાં એક પ્રેરણાદાયી દષ્ટાન્ત આવે છે. કજ સમ્રાટ તિજ મિની રાજ્યસભામાં એક વખત બૌદ્ધ ભિક્ષુ આવ્યું. એ કહે હું ત્રિપિટકાચાર્ય-છું. પંદર વર્ષ સુધી બૌદ્ધ જગતનું તીર્થાટન કરીને મેં સદ્ધર્મના ગૂઢ તનું રહસ્યોદઘાટન કર્યું છે. હવે હું તમારા રાજ્યને મુખ્ય ધર્માચાર્ય બનવા માંગુ છું. મારી ઈચ્છા છે કે કમ્બેજનું શાસન ભગવાન બુદ્ધના આદેશ મુજબ ચાલે. સમ્રાટ તિ મિડ બીદ્ધ ભિક્ષુની ઈચ્છા સાંભળી કંઈક હસ્યા. આપની ઈચ્છા ખરેખર મંગલકારી છે. પણ આપને મારી એક પ્રાર્થના છે કે આપ ધર્મગ્રન્થને સ્વાધ્યાય કરી લે ફરીવાર ભિક્ષુક મનમાં છેડે રેષે ભરાયે. પણ સમ્રાટને વિરોધ ન કરી શક્યો. ભિક્ષુ ધર્મગ્રંથની આવૃત્તિ કરવા લાગ્યા. ફરી જ્યારે સમ્રાટ પાસે આવ્યા ત્યારે સમ્રાટે કહ્યું કે એકાન્ત સેવન કરી ફરી આપ સ્વાધ્યાય કરવા કૃપા કરો તે શ્રેયસ્કર થશે. ભિક્ષુ કેધથી ધમધમી ઉઠશે. સાંજ સુધી ભટકીને નક્કી કર્યું કે હવે તે પુરી તન્મયતા વડે સ્વાધ્યાય કરે છે. સમ્રાટને પણ દેખાડી દઉં કે ધર્મગ્રંથ શું ચીજ છે! બીજે જ દીવસે તે સ્વાધ્યાય માટે તૂટી પડયા. પણ આ વખતે તમયતાથી સ્વાધ્યાય આરંભેલો. તેને અપૂર્વ આનંદ આવ્યું. એક વર્ષ પૂરૂ થયું ત્યારે સમ્રાટ તિડ મિડુ પિતાની પ્રજા સાથે નદી કિનારે પહોંચ્યા ત્યારે ભિક્ષુ તનમનની બુદ્ધ શુદ્ધ ભૂલી જઈ
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy