SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ બીજાનું ભલું કરે જેમ ધક ઋષિ ૫૦૦ શિષ્યો સાથે શ્રી મુનિ સુવ્રત સ્વામી પાસે દીક્ષા લીધી છે. અનુક્રમે તે ગીતાર્થ થયા છે. તેઓ પૂછે છે કે પ્રભુ, આપની જે આજ્ઞા હોય તે મારી બેનના દેશ જાઉં. પ્રભુ કહે, સવને મરણાન્ત ઉપસર્ગ થશે. બંધક ઋષિ ફરી પૂછે છે, સ્વામી ઉપસર્ગમાં અમે આરાધક થઈશું કે વિશક? પ્રભુ કહે તમારા વિના સર્વે આરાધક. ફરી પૂછ્યું કે નિમિરો પ્રભુ? – આપના – બંધ ઋષિ વિચારે કે મારા નિમિત્તે જે ૫૦૦ સાધુ આરાધક થતાં હોય તે વિશેષ શું ? બીજાનું ભલું કરો, એ પરોપ– કારના આદેશ સાથે તે પહોંચ્યાં કુંભકાર નગર ઉપવનમાં. પાલકને બંધક ઋષિ પર પૂર્વે બોલચાલ થયેલી તેથી મનમાં વેરની ગાંઠ પડેલી છે. તેથી વેર હેવાને ઉત્તમ સમય માની કપટ કરે છે. રાજાને ભોળવી બંધક મુનિ પણ ખોટું આળ ચડાવ્યું. રાજાએ પણ ક્રોધથી કહી દીધું કે તમને ઠીક લાગે તે કરો. પાલકે ઘાણીમાં નાખી બધાંને પીલવાનું નકકી ક્યું. એકેક સાધુને પીલવા માંડયા. અંધક ઋષિ બઘાને બરાબર નિર્માણ કરાવે છે. બોધ આપે છે. સમભાવમાં સ્થિર થયેલા સાધુ કેવળજ્ઞાન પામી મોક્ષે જતા જાય છે. પાપી પાલક પિલીયા રે બંધક ઋષિના શીશ કેવળ લઈ મુગતે ગયા રે નમો નમે તે નિશદિશ છેવટે માત્ર એક બાળ મુનિ રહ્યા ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે પાલક દયા કરીને આ બાળકને પછી પીલજે. પહેલાં મને પીલ. તેને પીલાતિ હું જોઈ નહીં શકું. પાલકે ધરાર બાળકને પીલવા માંડયો. બાળ સાધુ તે દૌર્યને ધારણ કરીને મોક્ષે ગયા પણ બંધ ઋષિને કેધ ચડો. તેણે નિયાણું કર્યું. આખા રાજ્યને બાળનાર થાઉં. તે મરીને અગ્નિકુમાર દેવ થયા આખા રાજ્યને બાળી દીધું. આમ બાકીનાને મેક્ષ મળતો હોય તે સ્વની વિશધકતા સ્વી– કારીને પણ પરોપકાર કરવા તૈયાર થયા તે લોકોત્તર ઉપકાર જાણવો. પોપકાર કરે તે સજજન પુરુષનો સ્વભાવ છે. કેમકે ચંદ્રને
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy