SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ કરો કમ ચકચૂર ૩૧૭ બાહ્ય તપ શરીર-આહાર આદિને આશ્રીને વિચારવું. પણ મન સ્થિર કરવા કે સીધું અંતર આત્માનું લક્ષ રાખી જે વિચારણા કરવી તે અભ્યંતર તપ. (૧) પ્રાયશ્ચિત ઃ- કરેલા પાપના પશ્ચાતાપ અને ફરી ન થાય તેનુ' ચિંતવન તે પ્રાયશ્ચિત. પ્રાયશ્રિત એ થયેલા અપરાધા માટે દડ અને આત્મશુદ્ધિ માટેનુ પ્રથમ પગથિયું છે. જગતમાં જે કંઈ જીવાની રખડપટ્ટીની વાતા ચિત્રા કે થાનકમાં આવે છે, તે તે ક'ની આલેચના [પ્રાયશ્ચિત] ગ્રહણ કર્યા વિના થયેલ મૃત્યુ [કે કાળધને લીધે જ છે. પ્રભુ મહાવીરને પણ કુળ મઢની આલેચના ન કરી તેા છેક છેલ્લા ભવમાં પણ તે અંતરાયરૂપ અની. તેથી સજ્ઝાયમાં પણ ઉપદેશરૂપે પક્તિ આવે છે પાપ આલાચે ગુરુ કહે ચિત્ત ચેતે ધરિયે વિનય સુજાણુ ચતુર ચિત્ત ચેતા રે પ્રાયશ્ચિત માટે આાના—નિ દા-ગર્હા તપશ્ચર્યા વગેરે કાઈપણ પગથીયું ગુરુ મહારાજ સૂચવે તે મુજબ આ તપ કરી કર્મ નિર્જરા કરવી. (૨) વિનય :- વિનય સર્વ ગુણેાનું મૂળ છે. પ્રશમતિમાં ઉમાસ્વાતિજી મહારાજા વિનયનું મહત્ત્વ જણાવતા ફરમાવે છે કે વિનથી ગુરુ શુશ્રુષા તેથી શ્રુતજ્ઞાન, શ્રુતજ્ઞાનથી વિતિ-વિરતિથી આશ્રવ નિરોધ. આશ્રવ નિરાધે સંવર--સ વથી નિરા અને અંતે માક્ષ પ્રાપ્ત થાય છે. તેથી જ્ઞાન–દન–ચારિત્ર–ઉપચાર વિનયમાં પ્રવૃત્ત થઈ નિરા કરવી જોઈએ. આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ મુનિ અવસ્થામાં હતા. ગુરુ મહારાજ કાળધર્મ પામેલા સાધુ સમુદાય પણ ટુંકેા. તે સમયે નાની ઉ‘મર હેાવા છતાં બાજોઠ પર આગમ પધરાવી. વંદના કરી. વાયાના આદેશ માગતા. આટલા જ્ઞાન વિનય તેને દીક્ષાના પ્રારભિક તબકકે હતા ત્યારે તેઓ મેટા થતાં આગમાદ્વારક આચાર્ય શ્રી બન્યા અને બહુશ્રુત તરીકે જગમાન્ય થયા.
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy