SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ગામડા ના કાકાના નાના ૨૬૮ અભિનવ ઉપદેશ પ્રાસાદ– વિપ્રના વેશે એક વખત ઇંદ્ર તેની પરીક્ષા કરવા આવ્યા. મિથિલાની સ્થિતિ છે. બધાં વિલાપ કરી રહ્યા છે. તારી દીક્ષા એજ સઘળા દુઃખનું કારણ છે. ત્યારે નમિ રાજર્ષિએ તેને ઉત્તર આપ્યો કે આ વાત સંપૂર્ણ પણે અજ્ઞાનરૂપ છે. સાંભળે ! મિથિલાનગરીમાં એક બગીચે હતું. તેની મધ્યે એક વૃક્ષ હતું. તે શીતળ છાયા વડે રમણીય લાગતું હતું. પત્ર-પુષ્પ અને ફળથી શોભતું હતું. વિવિધ પક્ષી તેને આશ્રય કરી રહેતા હતા. એક વખત ભયંકર વાયુ કુંકા. વાયુના જોરથી વૃક્ષ હચમચી જતાં, તેમાં આશ્રય કરી રહેલા પક્ષી દુઃખાત્ત અને અશરણ થઈને આક્રંદ કરવા લાગ્યા. તે તેઓ કંઈ વૃક્ષને માટે વિલાપ નહોતા કરતાં પણ પિતાનું સુખ છિનવાઈ ગયું માટે શેકાત હતા. તેમ મિથિલાને કોલાહલ પણ પોતાનું સુખ જવાથી છે. હે વિપ્ર ! તેમને કે ઈ મારા માટે વિલાપ કરતો નથી. તે બ્રાહ્મણે મિથિલાને બળતી દેખાડી કહ્યું જે તારું નગર, તારુ અંતાપુર સઘળું બળી રહ્યું છે. ત્યારે નમિરાજર્ષિએ એજ જવાબ આપ્યો. હે વિપ્ર ! મિથિલા બળે છે તેમાં મારું કાંઈ બળતું નથી. મારા આત્મા એકજ છે તેને કઈ બાળી શકવાનું નથી. - ઈદ્ર મહારાજાએ આ રીતે બ્રાહ્મણના વેશે કેટલાયે પ્રશ્નો પૂછીને પરીક્ષા કરી, તે પણ નમિ રાજર્ષિ જરાપણ ચલિત ન થયા ત્યારે તેના દઢ વૈરાગ્યની સ્તુતિ કરી ઈદ્ર સ્વર્ગ પાછો ચાલ્યો ગયો. નમિ રાજર્ષિ એકવ ભાવના ભાવતા કેવળજ્ઞાન પામી મેક્ષે સધાવી ગયા. માટે હે ચેતન “તું પણ માની લે કે એકત્વમાં જ સિદ્ધિ છે.” ચેતન તું એકાકી રે એ પંક્તિનું બરાબર સ્મરણ કરી આત્માનું શું છે તથા પુદગલનું શું છે તે વિવેક રાખ. * पश्य कांचनभितर पुद्गल मिलित मचति का दशा केवलस्य तु तस्य रूपं विदितमेव भवाशां एवमात्मनि कर्म वशता भवति रूपमने कथा कम मल रहिते तु भगवति भासते कांचन विधा જ આજ વસ્તુ ધ્યાન દીપિકામાં અન્યત્વ ભાવનામાં લીધેલી છે. મગ ,કમ ન કર
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy