SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ મારે તારું વચન પ્રમાણે કહે નહી* તા કહે તવૃત્તિ-એટલે કે હુ· આપની આજ્ઞા સ્વીકારુ છું. આ આખી વાતના અથ એ છે કે તમારે બધાંયે પ્રભુની આજ્ઞાના સ્વીકાર રૂપે ઓછામાં ઓછા આટલા તપ તા કરવા જ જોઇએ. વર્ષમાં પિલ્મ કેટલી ? ચાવીશ—તેમાંથી ત્રણ ચઉમાસી બાદ કરા તા ? એકવીશ પિખ ૨૧ ઉપવાસ (૧) ૨૧ પિખના એક ઉપવાસ (૨) ૩ ચઉમાસીના છઠ્ઠું = ૩૪૨ (૩) સ‘વત્સરીના અઠ્ઠમ કુલ કેટલાં થયા એક વર્ષમાં ૬ ઉપવાસ ૩ ઉપવાસ ૩૦ ઉપવાસ એટલે તમે ૩૦ ઉપવાસ કરે, તે ન થાય તા ૬૦ આંખેલ, ન થાય તા ૯૦ નિવિ, એ રીતે ૧૨૦ એકાસણા, ૨૪૦ બિયાસણા ચાવતું ૬૦૦૦૦ સ્વાધ્યાય એટલામાંથી કાઈપણ એક તપ શક્તિ મુજબ કરવા. જો આટલા લઘુત્તમ તપ ન થાય તેા જિનાજ્ઞા ભગના દોષ લાગે. = ૪૫ માટે હૃદયમાં એક જ ભાવ ધારણ કરી મારે તારું' વચન પ્રમાણે, નહીં માનુ` અવરની આણુ. ગૌતમ-આનંદ શ્રાવક શ્રી વીર પરમાત્માની વાણીથી પ્રતિમાધ પામેલ આનંદ શ્રાવક રાજગૃહી નગરીમાં વસે છે. ખાર વ્રતધારી શ્રાવક છે. તેની પત્ની શિવા-નદાએ પણ બાર વ્રત લીધેલા છે, તેવા સુપક્ષયુક્ત શ્રાવક વ્રત ગ્રહણ કર્યાને ૧૪ વર્ષ વીત્યા બાદ શ્રાવકની પ્રતિમાને અગીકાર કરી છેલ્લે અનશન સ્વીકાર્યુ” છે. માવા સુશ્રાવક આનંદ ગાથાપતિના પરિણામની ધારા જોવાને ગૌતમસ્વામી પ્રભુજીની આજ્ઞા માંગી. પ્રભુની આજ્ઞા પ્રાપ્ત થતાં કૃતિ પલાસવનથી વાણિજ્ય ગ્રામ નગરમાં આવવા ગૌતમ સ્વામી નીકળ્યા. આનંદ ગાથાપતિની પૌષધ શાળામાં ગૌતમ સ્વામી આવ્યા પણ અશક્તિને કારણે આનંદ શ્રાવક એક ડગલું પણ ચાલવા શક્તિમાન હતા નહી.. એટલે ગુરુદેવના માત્ર દર્શન કરીને પ્રમુદિત થયા. પછી ગૌતમ સ્વામીને પૂછ્યું કે હે પ્રભુ ગૃહસ્થાશ્રમમાં રહેલા ગૃહસ્થને અવધિજ્ઞાન થાય ખરૂ` ?
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy