________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
આ રીતે શ્રાવકે પણ સામાયિકાદિ છ આવશ્યકમાં ઉદ્યમવત રહેવુ જોઇએ. પણ સામાયિક એટલે શું?
૧૫૪
ફરી ફરીને એ જ પ્રશ્ન છે તમારી સામે. કેમ કે આ સમગ્ર પરિશીલન સામાયિકની જ આસપાસની વિચારણા માટે છે. સામાયિકના સુંદર સ્પષ્ટીકરણ માટે રેમિ ભક્તે ની વિચારણા અતિ ઉપયાગી બનશે.
રેમિ મતે -- હે ભદન્ત ! હે ભગવન્ ! હે ભયાંત અથવા તેા હે પૂજ્ય આ પ્રમાણે ગુરુને આમ ત્રણ કરવા પૂર્વક સામાયિકના આર્ભ કર્યો
આરંભમાં ગુરુને કેમ યાદ કર્યા ? સ` ધર્મ અનુષ્ઠાનામાં શુર્વાજ્ઞા આવશ્યક છે. ગુરુ હાય તા ગુરુ પ્રત્યક્ષથી અને ન હેાય તે ગુરુપણાની સ્થાપના કરવા પૂર્વક સમક્ષ માનીને જ અનુષ્ઠાના કરાય. રેમિ સમાજ્ઞ—હુ' સામાયિક કરુ છું.
સામાયિક એટલે આત્માને સમભાવમાં સ્થિર કરવા. વિષમતાના અભાવ અને સ્વરૂપમાં લીનતા.
હ સામાયિક એટલે સદવર્તન,
• સામાયિક એટલે શાસ્ત્રનુસારી શુદ્ધ જીવન ગાળવાના પ્રયત્ન. ૦ સામાયિક એટલે સમસ્થિતિ અર્થાત્ વિષમતાના અભાવ ઉત્પન્ન કરવાની ક્રિયા.
૦ સામાયિક એટલે સર્વ જીવા પ્રત્યે મિત્રતા કે બંધુત્વની લાગણી કેળવવાના પ્રયાસ.
૦ સામાયિક એટલે સમભાવની સાધના અર્થાત્ રાગદ્વેષને જીતવાના પરમ પુરુષાર્થ.
૦ સામાયિક એટલે સમ્યક્ વસ્તુની પ્રાપ્તિ અર્થાત્ સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન, સમ્યગ્ ચારિત્રની સ્પના.
૦ સામાયિક એટલે શાંતિની આરાધના.
૦ સામાયિક એટલે અહિંસાની ઉપાસના,
વ્યવહારિક દૃષ્ટિએ આવા ભિન્ન ભિન્ન અર્થી હાવા છતાં તાત્ત્વિક