________________
બાળદીક્ષા એટલે ઉગતા સૂરજની પૂજા
સાથે. આમ એટલા માટે કરવાનું છે કે પુસ્તકે પુસ્તક વિષયો બદલાતા હોવાથી પ્રગતિ, માનસિક અને વૈચારિક વિકાસને વેગ મળતો નથી. એક વિષયનાં અનુસંધાનમાં બીજું પુસ્તક, તેના અનુસંધાનમાં ત્રીજું પુસ્તક, આ રીતે ક્રમવાર વિષયનું ઊંડાણ વધતું જાય તેવો ક્રમ ગોઠવવો. આ માટે
ગુરુભગવંત પાસે કે પછી કોઈ જાણકાર પાસે માર્ગદર્શન મેળવી શકાય છે. ૫. વાંચવાનું ચાલુ થાય તે પહેલાં આ પુસ્તક મારે કેટલા દિવસમાં પૂરું કરવાનું છે
તે નક્કી કરવું. સમયથી વહેલાસર વંચાઈ જાય તો, રાજી થવાનું. સમયથી મોડું પૂરું થાય તો ફિકર નહીં કરવાની, આખરે વાંચવાનું છે તે વાંચવા માટે. સમય તો શિસ્ત આવે તે માટે નક્કી કરવાનો છે. વાંચતી વખતે જે નવું લાગે, જે ગમી જાય તેની પાસે નોંધ કરવાની, નિશાની. પુસ્તક પૂરું થાય પછી તે નિશાનીવાળા લખાણ ફરીથી વાંચી લેવાના, બરોબર યાદ રહી જશે. કરી શકો તો કરવા જેવું એક કામ એ છે કે જે નવું લાગે તે તમારી નોટમાં ઉતારી લો. વરસેદહાડે નોટનાં ઘણાં પાનાં
ભરાશે. એક નોટમાં ઘણાં પુસ્તકો સંકલન પામી જશે. ૭. તમે જે વાંચ્યું, તમને જે ગમ્યું તેની ચર્ચા બીજી કોઈ વ્યક્તિ સાથે અવશ્ય
કરવી. આનાથી બે ફાયદા થશે. તમારા મનમાં તે તે મુદ્દા સ્પષ્ટ થઈ જશે અને કોઈ અધૂરી સમજ રહી હશે તે નીકળી જશે. તમે જે ભાષામાં વાંચન કરી શકો છો તે ભાષાનાં જ પુસ્તકો વાંચવાનું રાખો. નવીભાષા શીખવા માટે સારાં પુસ્તક વાંચવાનું પસંદ કરશો તો ભાષામાં
અટવાઈ જવાશે અને વિચારનો સાત્ત્વિક આનંદ પામી શકાશે નહીં. ૯. વાંચતી વખતે જે ન સમજાય, જે પ્રશ્ન ઉઠે તેનાં સમાધાન વહેલી તકે મેળવી
લેવાનું રાખો. ૧૦. આ પુસ્તક વાંચવાથી મને નવું શું શીખવા મળ્યું છે તે જાતને પૂછો. આ
પુસ્તક વાંચ્યા બાદ મારામાં કોઈ ફરક આવ્યો કે નહીં તેનું આત્મનિરીક્ષણ
કરો. ૧૧. હું જે અક્ષરો, લીટીઓ વાંચું છું તે બીજીવાર હું વાંચી શકવાનો નથી માટે
કોઈ અક્ષર, શબ્દ કે લીટી છૂટી ન જાય તેની તકેદારી રાખીને વાંચવાનું છે.
ઉગતા સૂરજને પૂજવા સૌ તૈયાર હોય છે. એનું તેજ વધશે, એ દુનિયા પર રાજ કરશે, માટે. નાની ઉંમરનું બાળક ઉગતા સૂરજ જેવું માનીએ તો એને પૂજવાનું મન થાય. સૂરજ પાસે ઉગવાની ઘડીથી જ તેજ હોય છે. ધીમે ધીમે એ વધે છે. બાળક પાસે જનમવાની ઘડીથી જ નિર્દોષતા હોય છે. સૂરજ પોતાનું તેજ જાળવવા સ્વતંત્ર છે. બાળક પોતાની નિર્દોષતા જાળવવા પરાધીન છે. સૂરજ આપમેળે ઊંચે ચડે. બાળક પણ ઊંચે તો ચડે પરંતુ તેને સારું પીઠબળ જોઈએ. વધતાં તેજની જેમ વધતી નિર્દોષતા જ પ્રભાવશાળી બનાવી શકે. બાળકને ઉછેરનારા તેની નિર્દોષતાનું ભાગ્યે જ જતન કરે છે. સીધી વાત છે. નિર્દોષતામાં રસ હોય તો જ નિર્દોષતાનું જતન થાય. નિર્દોષતાની સમજ હોય તો જ નિર્દોષતાની કાળજી લઈ શકાય. મનમાં પાપભાવ હોય તો બાળક પર તેનો પડછાયો પડવાનો જ. માબાપને યાદ નથી પોતાના દોષ, વડીલોને પોતાનાં પાપની પરવા નથી. બાળક નિર્દોષ અને નિષ્પાપ નથી રહી શકતું. ઉંમર વધે છે. ભોળપણ ઓસરતું જાય છે. સરળતા વિખેરાતી જાય છે. માબાપ બની ગયા પછી બાળક માટેનો પ્રેમ વ્યક્ત થાય છે ત્યારે બાળકમાં દોષ અને પાપ ઉમેરાતા જ જાય છે. ન માબાપ યાદ રાખે કે ન બાળકને સમજ હોય. બાળકને મોટું થતું જોવામાં રસ પડે છે માબાપને. બાળકની વય વધે તેમ નિર્દોષતા સઘન બને તેવા મનોરથ જવલ્લે જ કોઈ માબાપનાં અંતરમાં જાગે છે.
સાત કે આઠ વરસની વય સુધી બાળક સ્વયંભૂ નિર્દોષતા જાળવે તે બને. પણ પછી આ ઉગતા સૂરજનું જતન કરવું પડે. ન કરો તો એ દરિયામાં ડૂબે. સૂરજ આસમાનમાં એક જ છે. બાળક તો ઘરઘરમાં છે. તેની પરાધીનતા આઠ વરસની વય પછી ઘટવા માંડે છે. સ્વાધીનતા તરફ એના પગ હળવે હળવે મંડાય છે. શીખે તે વિચારી શકે છે. સાંભળે તે સમજી શકે છે. એની સમક્ષ જે આવે તેનું નિજી અર્થઘટન કરવા માંડે છે. એ તબક્કે તેની આસપાસ નિષ્પાપ વાતાવરણ હોય તો એ બાળક પોતાની નિર્દોષતાને ખીલવશે. સ્વસ્થ અને સ્વચ્છ વાતાવરણનો પડછાયો ઝીલીને એ સ્વસ્થતા અને અંતરંગ સ્વચ્છતા જાળવશે. માબાપ પૂર્ણ નિર્દોષ હોય તો બાળક આઠ વરસ પછી પણ નિર્દોષતા જાળવશે જ.
૪૩
૪૪
-