________________
સારા હોય તોય ખરાબ. એ અભિપ્રાય બૂરા હોય તો તે બૂરા છે જ, આપણા આવા અભિપ્રાયોથી બીજાની જિંદગીનો એકાદ નાનો ખંડ લેવાતો હોય તો એમાં આપણું જ દાયિત્વ માનવાનું. સારો અભિપ્રાય આપતી વખતે કોઈ તો સ્વાર્થ હોવાનો. એ સ્વાર્થ ને સરે તે વખતે અભિપ્રાય આવો જ રહેશે તેની ખાતરી નથી. અભિપ્રાયની અસર બીજાનાં મન ઉપર પડે છે. અભિપ્રાય આપવો એટલે તે માણસ માટેનો તમારો મત જાહેર કરવો. અંગત ગણત્રીપૂર્વકના આપણા અભિપ્રાયથી એ માણસ રાજી થાય તોય તે સ્વાર્થી સંબંધ થશે. એ નારાજ થાય તેવો અભિપ્રાય આપણે દાખવીએ તો એ પણ સ્વાર્થ જ, તમારા મિજાજ માટે તમે બીજાને ઉતારી પાડો તે સજ્જનતા નથી જ.
આપણા અભિપ્રાય આપણે વ્યાજબી પૂરવાર કરવા પડે છે. આપણે ખુદ જાણીએ છીએ કે આ અભિપ્રાયમાં સચ્ચાઈ કેટલી છે ? આપણા અભિપ્રાયોથી આપણી જ શાલીનતા ઘવાય છે. આપણા અભિપ્રાયથી આપણો મોભો નીચો ઉતરે છે. આ પછી જ બીજાને નુકશાની થાય છે. બીજાની માટે ગલત અભિપ્રાય આપીએ તે વખતે તેનાં મનોજગતને એક આંચકો તો પહોંચવાની જ. અભિપ્રાયનો એ અવાજ ફરતો ફરતો તે આદમીના કાને પહોંચશે. તેને માનસિક અશાંતિ થશે. આપણા બેફામ બોલ બદલ એને બેચેની ભોગવવી પડશે. એની હિંમત, એનો આત્મવિશ્વાસ તૂટે તે આગળની નુકશાની થઈ.
અભિપ્રાય બીજા આપણી માટે આપે છે તે પાસું તપાસવાની દૃષ્ટિ જુદી રહેશે. બીજા આપણી માટે ગમે તેવો (ના, ગમે તેવો નહીં ગમે તેવો) અભિપ્રાય આપી દે તે વખતે આપણાં અંતરને ફટકો લાગે છે. આપણાં મનમાં ગુસ્સો અથવા અજંપો ભરાય છે. સહન નથી થતું.
આમ થાય તે બે રીતે. એક તો એ અભિપ્રાય સાચો હોય, એ આપણાથી જીરવી ન શકાય. એ અભિપ્રાય દ્વારા આપણી અસલિયત બહાર પડી જતી હોય. આપણે ગુપ્ત રાખેલાં રહસ્યો એ અભિપ્રાયથી પ્રગટ થઈ જતા હોય. બીજી રીતે એમ કે એ વાત જ આખી ગેરવ્યાજબી હોય. અકારણ આપણને સંડોવી દેવામાં આવ્યા હોય. બંને રીતે આપણને ઘવાયા હોવાનો અનુભવ થાય છે. આપણા માટે કોઈ કડવો અભિપ્રાય આપી જાય તે ગમતું નથી.
સામે છેડે પાછું એવું છે કે આપણી માટે કોઈ સારો અભિપ્રાય આપે તે બહુ ગમે છે. એમાં સચ્ચાઈ છે કે નહીં તે વિચારવાની રાહ આપણે જોતા નથી. રાજીના રેડ થઈ જઈએ છીએ. બીજાનો સારો અભિપ્રાય આપણી સફળતાની ઝળહળતી
નિશાની છે તેમ જ આપણને લાગે છે. આપણે જમીનથી જરા અદ્ધર ચાલીએ છીએ. ગર્વ થઈ આવે છે. જોવા જેવી વાત એ છે કે આપણા સારા અભિપ્રાયથી બીજાને પણ આવો રોમાંચ મળી શકે છે તે વિચારવાની આપણને ફુરસદ હોતી નથી.
બીજાના તરફથી જાહેર થતા આપણી માટેના અભિપ્રાયોની આ બંને, ખરાબ અને સારી અસર ઉપર વિચાર કરવા જેવો છે. બીજાના કહેવાથી આપણે સારા કે ખરાબ થઈ જઈશું ? બીજા જે બોલે તે જ આપણને સારા કે ખરાબ બનાવે છે ? આપણને સારા કે ખરાબ રહેવું હોય તો એ જોવાનું માત્ર આપણે છે. સારા રહેવું અને ખરાબ ન રહેવું તે આદર્શ તો છે જ. આ વાત તો એ છે કે આપણા સારા હોવાની જેમ આપણા ખરાબ હોવાની જવાબદારી આપણી પોતાની જ છે. બીજાના બોલવાથી આપણે ખરાબ પૂરવાર થતા હોઈએ તો આપણે આજે આબરૂદાર હોત જ ક્યાંથી ? આપણા કટ્ટર હરીફો આપણને સતત વગોવે છે તેનાથી આપણી વ્યક્તિમત્તા ઘડાતી નથી. કોઈ આપણને હરહંમેશ થાબડ્યા કરે તેનાથી આપણી સફળતા ઘડાતી નથી. આપણી પોતાની યોગ્યતા મુજબ જ આપણી જિંદગી ઘડાય છે. પારકો અભિપ્રાયોને આપણી યોગ્યતા સાથે કશી લેવા દેવા નથી. એમને રાખો દૂર. આવા શબ્દો ઉપર માથું બગાડતા રહીશું તો જિંદગી જીવવાનો રસ જ ઉડી જશે.
હા. આપણે બીજાના અંગે અભિપ્રાય આપતા હોઈએ તે વખતે આપણો રસ એ ન હોવો જોઈએ કે બીજા કોઈ આપણા દ્વારા અશાંત બને. આપણા શબ્દો એ આપણી ઓળખ છે. આપણો અભિપ્રાય એ આપણી જ વિચારસરણીનો પડઘો છે. આપણાં વચન આપણાં વ્યક્તિત્વની સાખ પૂરતા હોય છે. એ સારી ન હોય તો બીજા નીચા પડે તે પહેલાં જ આપણે નીચા પૂરવાર થવાના, આપણી મામૂલી ધારણાઓ બીજાને બદનામ કરવા માટેની હશે. તેમાં વિષવર્તુળ સર્જાવાની શક્યતા છે. એક બીજાની માટે ઊંધા અભિપ્રાયો આપતા રહેનારા ભારત પાકિસ્તાન તો માત્ર એક એક છે. આપણે ઊંધા અભિપ્રાયોની લેવડદેવડ કરનારા કેટલા લોકો આમનેસામને છીએ તેની તપાસ કરીને સાવચેત બની જવાનું છે.
બીજાના પૂર્વગ્રહભર્યા અભિપ્રાયોથી આપણે વિચલિત ન થઈએ, તો વ્યાજબી અભિપ્રાયોમાંથી બોધપાઠ પણ લઈએ. આપણા પૂર્વગ્રહને લીધે બીજાની ભૂલો પોષાય નહીં તેમ જ બીજાના સગુણ ઉવેખાય નહીં તેનું ધ્યાન રાખતા જજો.
અભિપ્રાયની આલમ ભારે અટપટી છે.
33
૩૪ -