________________
પર દબાણ ઊભું કર્યું છે. તેમની સાથે અબોલા લીધા છે. સંબંધોની બેવફાઈ કરી છે. નાની વાતોને મોટું સ્વરૂપ આપ્યું છે. માબાપ સમાન સાસુસસરા માટે અણછાજતી ફરિયાદો કરી છે. આપણી અપેક્ષા અને આપણા અહંને સાચવવા માટે પરિવારના સભ્યો વચ્ચે ખટરાગ પેદા કર્યો છે. મા-દીકરો, પતિ-પુત્ર, ભાઈ-ભાઈ કે ભાઈબહેન વચ્ચે સારા સંબંધો હતા તેમાં આપણે લીધે ખટાશ આવી ગઈ છે. આપણે શ્રીમંત ઘરના હોઈએ તો અભિમાન બતાવ્યું છે. આપણે ગરીબ ઘરના હોઈએ તો લોભ-લાલચમાં પડ્યા છીએ. પરિવારની ઉત્તમ પુત્રવધૂ બનવાને બદલે વઢકણી વહુ બની બેઠા છીએ. આપણને કોઈની પર વિશ્વાસ નથી. કોઈનો વિશ્વાસ આપણે જીતી શકતા નથી. ક્યારેક ઈર્ષા, ક્યારેક સ્પર્ધા, ક્યારેક નિંદા, ક્યારેક કટાક્ષો કરવામાં આપણું મગજ બરબાદ કર્યું છે. સૌને શાંતિ અને સંતોષ આપવા જોઈએ તેને બદલે સૌની ઊંઘ હરામ કરી નાંખી છે. ધમકીઓ આપી છે, ઘર છોડીને જતા રહ્યા છીએ, રીસામણાં કર્યાં છે. આપણાં સ્ત્રીત્વનો ઉપયોગ ચોક્કસ સ્વાર્થ માટે કર્યો છે. પત્નીને ગૃહિણી કહેવાય છે. ઘરનું વાતાવરણ પ્રસન્ન રાખવાની જવાબદારી તેની છે. પત્ની જો પતિ સાથે સંઘર્ષ અને સંક્લેશ કરે તો ઘર ભડકે બળવાનું છે. પત્નીએ પતિને અને પતિના પરિવારને પ્રસન્ન રાખવાના છે. નાનીનાની વાતોને મનમાં લીધા વિના નમ્રભાવે પતિની ક્ષમાયાચના કરનારી પત્ની આખા પરિવારની ઉત્તમ સેવા કરી રહી છે.
પરિવારમાં પુત્રનું અલાયદું સ્થાન છે. માતાપિતાની આશાઓ જીવે છે પુત્રના આધારે. માતાપિતાનો આનંદ પુત્ર પર જ અવલંબે છે. પુત્ર ઉઠીને માબાપને નારાજ કરે, પરેશાન કરે તેનાથી મોટી કરુણતા કઈ હોય ? આજે આ ઘરઘરની સમસ્યા છે. સંતાનો માબાપને પરેશાન કરે છે. આપણો નંબર આવા કુપુત્રમાં હોય તો વેળાસર જાગી જવાનું છે. માબાપની આજ્ઞા ન માની હોય, માબાપનાં દિલને ઠેસ વાગે તેવું વર્તન કર્યું હોય, તેમની વાત પ્રેમથી સાંભળવી જોઈએ તેને બદલે તેમને ઊંધા
૯ ×
જવાબો આપ્યા હોય. એમણે જિંદગીભર આપણી માટે મજૂરી કરી તે ચાલ્યું આપણને અને એમની માટે મહેનત કરવાનો વારો આવ્યો તો આપણે છટકવા પ્રયત્ન કર્યા હોય, બિલકુલ ગંભીરતાથી આપણી ભૂલોને યાદ કરવાની છે. તેમને ઘરમાં એકલા પાડી દીધા છે. તેમની સાથે વાત કરવાનો સમય નથી આપણી પાસે. તેમણે આપેલી તકલીફો યાદ રાખી છે પણ તેમણે કરેલા ઉપકાર યાદ નથી રાખ્યા. તેમને જૂનવાણી કહીને ઉતારી પાડ્યા છે. તેમની લાગણીને સમજવાનો પ્રયાસ જ કર્યો નથી. પત્નીની વાતમાં આવી ગયા છીએ અને માબાપને ન કહેવાના શબ્દો કહી દીધા છે. તેમની સ્વતંત્રતા પર તરાપ મારી છે. તેમની સેવા કરી નથી. તેમને હૂંફ આપી નથી. એકાદ મુદ્દાને મોટો બનાવી દઈને જિંદગીભરનો મતભેદ ખડો કર્યો છે. તેમના સ્વભાવને ખરાબ ચીતર્યો છે. તેમની વાતોને ખોટો વળ આપ્યો છે. પુત્ર તરીકેની ફરજમાં આપણે ઘણીવાર ચૂક્યા છીએ. આપણને આપણી બુદ્ધિ પ્રમાણે વિચારવાની આદત પડી ગઈ છે. માબાપની પરિસ્થિતિને માબાપની દૃષ્ટિએ જોવાની સૂઝસમજ આપણામાં નથી. આપણને સફળતાનો ગર્વ ચડી ગયો છે તેમાં માબાપની લાગણી ભૂલાઈ ગઈ છે. હજી મોડું નથી થયું. માબાપ તો આપણાં સુખમાં સુખી હોય, આપણાં દુ:ખમાં દુઃખી. આપણે દુઃખી હોઈએ તે એમનાથી જોવાતું નથી. આપણા મનમાં એમની માટે આવેશ હોય, રોષ હોય તે એમનાથી સહેવાતું નથી. તેઓ સરળભાવે આ સંક્લેશમાંથી બહાર આવવા ચાહે છે. આપણે તેમની પાસે જઈએ, તેમનાં ચરણોમાં પડીએ, તેમની ક્ષમા માંગીએ. માબાપ પોતાના સંતાનોની નમ્રતા જોઈને બધા જ ગુના માફ કરી દે છે. તમારા માબાપને તમે સાચી લાગણી આપો તેમાં તમારા જનમની કૃતાર્થતા છે. આપણને મા અને બાપ પાસે માફી માંગતા શરમ લાગવી જોઈએ નહીં. આપણું શરીર, આપણું અસ્તિત્વ આ માબાપના પ્રતાપે છે. આપણને જીવતા આવડે છે તે માતાપિતાનો જ ઉપકાર છે. માતાપિતાની ક્ષમાયાચના
- ૧૦ -