SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જાગી અનુભવ પ્રીત સંસ્કારો ઘડાતા રહે તે માટે સારાં આલંબનોનો સંપર્ક અને સારા આલંબનોની અસર, આ બંને માટે મહેનત કરીશ. ખરાબ સંસ્કારો ઘટતા રહે તે માટે, ખરાબ આલંબનો અને ખરાબ આલંબનોની અસર, આ બંનેથી ખૂબ ખૂબ સાવધાન રહીશ. આત્મતત્ત્વની ભાવનાનો પહેલો પડઘો વિચારોમાં પડે છે. અપેક્ષાઓ અધૂરી રહે તો નારાજગી નથી થતી. મહત્ત્વાકાંક્ષાનું ઝનૂન ઓસરવા લાગે છે. અહંકારને લીધે થનારા સંઘર્ષો નામશેષ થવા લાગે છે. મોજશોખ અને લાલસાની વૃત્તિ ઘટી જાય છે. મને તેનો મદ નથી થતો. ન મળે તેની નિરાશા નીપજતી નથી. બીજાની પ્રગતિ જોઈને ઈર્ષા નથી થતી. પોતાની નામના અને પ્રશંસા જોઈને હરખ થતો નથી. આવેશ ઘટે છે. ઇચ્છાઓ ઓછી થાય છે. અતૃપ્તિનું પ્રમાણ નહીંવતું રહે છે. સંબંધોમાં પઝેશન નથી રહેતું. નિજી જીવનમાં સાદગી આવે છે. ખોટી પકડમાં વાતનું વતેસર થતું હતું તે તો જાણે સૈકાઓ જૂનો ભૂતકાળ બની જાય છે. ધર્મસાધનામાં આળસ રહેતી હતી તે ગાયબ થાય છે. ધર્મની ક્રિયાઓમાં આશયની શુદ્ધિનું લક્ષ્ય પ્રધાન બને છે. વિધિનો તીવ્ર પક્ષપાત અને અવિધિનો તીક્ષ્ણ ઉદ્વેગ. કર્મોનું જોર તોડવા માટેનું સંપૂર્ણ પ્લાનીંગ મનોમન તૈયાર હોય છે. તબક્કાવાર પ્રગતિ થતી જાય છે. આમાને લાગેલા ડાઘને દૂર કરવા માટેના દરેકે દરેક પ્રયત્નો ચાલુ રહે છે. એક સરસ શ્લોક છે તેમાં કહ્યું છે “જેનાથી દોષો દૂર થાય અને જેના દ્વારા પૂર્વનાં કર્મો તૂટે તે બધું જ મોક્ષનું સાધન બને છે, રોગ મટાડે તે જ દવા કહેવાય.’ આત્મતત્ત્વની ભાવનાના તબક્કે દવા લેવાનું શરૂ નથી થતું. આ તબક્કે દવા શરીરમાં પોતાનો પ્રભાવ બતાવવા માંડે છે. દવાની અસર શરીર સ્વીકારે તે સાજા થવાની નિશાની. પ્રશસ્ય આલંબનોની ઊંડી અસર આત્મા સ્વીકારે આત્માના સાક્ષાત્કારની પૂર્વ નિશાની. નબળા વિચારો આવે અને નિષ્ફળ જાય તે સારી છતાં જૂની વાત. હવે તો નબળા વિચારો આવતા જ નથી. સારા વિચારોની ગુણવત્તા પણ ખૂબ ઊંચી છે. વાતો કર્યા વિના એકલા રહેવાનું હવે ફાવે છે. કોઈ મળવા ન આવે તો એકલું એકલું લાગતું નથી. ટોળાશાહીનો ડર નથી અને લોહચાહનાની 98 અનહદની આરતી ખેવના નથી. પોતાનો પ્રભાવ જમાવવો નથી. બીજાનો પ્રભાવ તોડવો નથી. પરિણતિની કક્ષાએ પહોંચેલા શાસ્ત્રબોધને લીધે વ્યક્તિમાત્ર સાથેના વર્તાવમાં કરુણા ટપકે છે. કોઈ તુચ્છ લાગતું નથી, કોઈ હીન લાગતું નથી. નાની મોટી વાતોમાં છુપાયેલું જૂઠ તરત દેખાય છે. સત્યની હાજરી જ્યાં હોય ત્યાં આંખો ઠરે છે. ગર્વ વિનાનું ગૌરવ છે. અભિમાન વિનાનું આત્મસન્માન છે. પરાજય વિનાની પીછેહઠ છે. વિજયથી સવાયો ટંકાર છે. આત્મતત્ત્વની ભાવના એ આત્મા જેવી જ અજાયબ અને અવર્ણનીય શક્તિ છે. એનો અહેસાસ થાય પછી દુનિયાનાં સમીકરણો નકામાં થઈ જાય છે. આત્મતત્ત્વની ભાવનાનો અહેસાસ કરનારો કેવી સંવેદના અનુભવે ? સુરેશ દલાલ કહે છે : અનુભવ કરિયો રે કરનારે સાગર શું છે, મોજાં શું છે, થપાટ શું છે તેની વાત બધી મઝધારે ફૂલનું ખીલવું શું છે એ તો કેવળ જાણે ફૂલ ભમરો કેવળ સૌરભ માણે : ના જાણે કાંઈ શુલ રણની આંધીના અનુભવની વાત કરી વણઝારે..અનુભવ. ઘુવડ કરે દિવસની વાતો : સાવ અલેખે જાય રાતરાણીને ગુલમહોરની મહેક નહીં સમજાય પગથિયાને ખબર પડે નહીં શું શું હોય ગિરનારે....અનુભવ.
SR No.009087
Book TitleAnahadani Arti
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2006
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy