________________
જાગી અનુભવ પ્રીત
દરમ્યાન જે અનુભવો પામીએ છીએ તે દેહનાં માધ્યમે જ. દેહાતીત અનુભવ શોધવો જોઈએ. શરીરનાં સુખ કે શરીરના વિશ્રામથી રાહત મળે છે તે નહીં, શરીરથી તદ્દન વેગળા થઈએ તેની રાહત શોધવાની છે. ધર્મની ક્રિયાઓ અને આરાધનાઓ આપણને અસદ્ આલંબનથી અને તેની અસરથી બચવાની તક પૂરી પાડે છે. તે તે અસદ્ આલંબનો વિના પણ આપણને જે આનંદ મળે છે તે પ્રશસ્ય અને પવિત્ર હોય છે. આ જ વાત આગળ વધે છે. અસદ્ આલંબનના અસદ્ આનંદને બદલે સદ્ આલંબનના સદ્ આનંદને માણવો તે ધર્મચર્ચા છે અને બાહ્ય આલંબન વિના અંતરંગ આનંદને પામવો તે આત્મચર્યા છે. ધર્મક્રિયા માટે બાહ્ય આલંબનોનો સાથ લઈએ છીએ તે પુણ્યોદયની સફળતા છે પરંતુ આ બાહ્ય આલંબનો ગમે તેટલા પ્રશસ્ય હોય - એ આત્માથી અલગ છે માટે એ આલંબનોથી પણ આગળ નીકળવાનું છે. અલબત્, આ લક્ષ્ય કઠિન છે. સદ્ આલંબનોની ઉપેક્ષા કરવી તે એક વાત છે અને સદ્ આલંબનો દ્વારા લૂંટી શકાતો રસ પૂરેપૂરો લૂંટી લઈને પછી આગળ વધવું તે બીજી વાત છે. આત્માની નજીકમાં પહોંચવા માટે પરથમ પહેલું અસદ્ આલંબનોથી દૂર થવાનું કામ કરવાનું છે. અસદ્ આલંબનથી દૂર થયા બાદ સદ્ આલંબનોને ચુસ્ત રીતે વળગી રહેવાનું બીજું કામ કરવાનું. અસદ્ આલંબનના અનાદિકાલીન સંગે, આત્મા પર ઊંડા કુસંસ્કારો મૂક્યા છે. તેને ભૂંસવા માટે સદ્ આલંબનોનું આસેવન સતત કરતા રહેવું જોઈએ. અસદ્ આલંબનથી દૂર થયા તે પૂરતું નથી. અસદ્ આલંબનના સંસ્કારો દૂર થાય તે મહત્ત્વનું છે. સદ્ આલંબન એક તરફ અસદ્ આલંબનની પુરાતન અસરો ભૂંસે છે અને બીજી તરફ પોતાની એટલે કે સદ્ આલંબનની પવિત્ર અસર ઊભી કરે છે. ધર્મનાં નિત્ય અનુષ્ઠાનો એ સદ્ આલંબન છે. સુવિહિત અનુષ્ઠાનો વિના ચારેય આત્મતત્ત્વનો અનુભવ થશે નહીં. ધ્યાનસાધનામાં નામે સુવિહિત અનુષ્ઠાનોનો પરિત્યાગ કરીને આત્મતત્ત્વની અનુભૂતિ પામવાનો પ્રયત્ન કરવો તે કેવળ ભ્રમણા છે. અસદ્ આલંબનથી વિખૂટા પડવાને લીધે થોડો આનંદ તો મળશે જ. કેવળ એ જ આનંદને યાદ રાખીને, સલંબનો વિસારે પાડવા તે ભૂલભરેલી પ્રક્રિયા છે. સદ્ આલંબનો સાથે લાંબો સત્સંગ જાળવી રાખવો જોઈએ. સદ્ આલંબનોમાં જેટલી અસર ઊભી કરવાની તાકાત છે તે તમામ અસર આપણા આત્મા પર પડી રહે ત્યાર સુધી ધીરજ
૫
Εξ
અનહદની આરતી
ધરવી ઘટે. છેવટે પ્રામાણિકતાપૂર્વક એમ લાગે કે આ સદ્ આલંબનો જે કાંઈ આપી શકે છે તે મળી ગયું છે, હવે જે મેળવવાનું છે તેની માટે સદ્ આલંબનો ઉપયોગી નથી તો સદ્ આલંબનોની સીમામાંથી બહાર આવીને નિરાલંબન ભાવે શુદ્ધ આત્મતત્ત્વને ઉપલબ્ધ કરવું તે સાધનાનો ચરમ ઉત્કર્ષ છે.
મંત્રીશ્વર બહુ સ્પષ્ટ છે. આલંબનોની દુનિયાથી દૂર પહોંચી જવું છે. મુખ્ય લક્ષ્ય એ છે. જ્યાર સુધી એ શક્ય નથી બનતું, આલંબનો સદ્ હોય તેની કાળજી રાખવાની છે. અસદ્ આલંબનની દૂરી બરકરાર રહે તેવો પ્રયત્ન જારી રાખવાનો છે. આ આખી વાત સાદી ભાષામાં સમજવા જેવી છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે ઘર-પરિવાર-પૈસા આ કશું સાથે આવવાનું નથી માટે તેનો મોહ ન રાખો.' વાત સાચી છે. આ બધું સાથે આવતું જ નથી. સવાલ એ છે કે ‘દેરાસર-ઉપાશ્રય-પ્રભુમૂર્તિ આ બધું પણ સાથે નથી આવતું તો એનો મોહ પણ રાખવાનો નહીં ?’
આ સવાલની સાથે જ વાતને નવો વળ ચડે છે. ઘર-પરિવાર-પૈસા સાથે નથી આવતા પણ આ બધાનો મોહ સાથે આવે છે તે કુસંસ્કાર બને છે અને આત્મા વધુ અશુદ્ધિથી બંધાય છે. મોહ રાખવાથી થનારી અશુદ્ધિ એ મોટું જોખમ છે. વાસ્તે મોહ ઓછો કરવા કહેવાય છે કે ઘર-પરિવાર-પૈસા સાથે નથી આવવાના. આ મોહ શું છે ? અસદ્ આલંબનની અસદ્ અસર. દેરાસર-ઉપાશ્રય-પ્રભુમૂર્તિ પણ સાથે નથી જ આવતા પરંતુ આ સદ્ આલંબનો છે અને તેની અસર ઉમદા સંસ્કારોનું સર્જન કરે છે. શ્રદ્ધાની પરિણતિ બંધાય છે. આ પરિણિત શું છે ? સદ્ આલંબનની સદ્ અસર. શ્રદ્ધાની પરિણતિથી આત્માની અશુદ્ધિ ઘટે છે, તૂટે છે તે મહાન્ લાભ છે. અસદ્ આલંબન અને સદ્ આલંબનની અસરનો ફરક તેમની ઉપયોગિતાનાં સ્તર નક્કી કરે છે.
મંત્રીશ્વર જાણે છે, મૃત્યુ પછી મારી સાથે કર્મો અને સંસ્કારો આવશે. જીવનનાં જેટલાં વરસો બાકી રહ્યાં છે તેમાં મારે જાગૃત રહીને જીવવાનું છે. કેવાં કર્મો અને કેવા સંસ્કારો સાથે લઈ જવા છે તે નક્કી કરવા માટે હું ઘણેખરે અંશે સ્વતંત્ર છું. કર્મોનો બંધ કેવો પડે છે તે પૂરેપૂરું મારા હાથમાં નથી. સંસ્કારો કેવા સર્જાય તે બાબતમાં હું સજાગ રહી શકું તેમ છું. સારા