________________
वाक्यं रसात्मकं काव्यम्। [કવિતાની સૌથી ટૂંકી ને સૌથી અસરકારક વ્યાખ્યા. રસથી સભર વાક્ય એટલે કાવ્ય.]
व्यापारे वसते लक्ष्मी। [ચીજવસ્તુની આપ-લે કરવાથી સમૃદ્ધિ સર્જાય છે.]
व्यासोच्छिष्टं जगत् सर्वं। [જગત આખું વ્યાસના મોંમાંથી બહાર આવ્યું છે. મહાભારત મહાકાવ્ય રચનાર વ્યાસ મુનિની પ્રશંસા માટે આ વાક્ય કહેવામાં આવે છે. તેનો ભાવાર્થ એવો છે કે તત્વજ્ઞાન અને માનવ સંબંધનો એકેય વિષય એવો નથી કે જેની મહાભારતમાં ચર્ચા છણાવટ ન થઈ હોય. આથી હવે જગતમાં કદી ન ઉપસ્થિત કરવામાં આવી હોય તેવી એક પણ વાત રહી નથી.]
शठे शाठ्यं समाचरेत्।
[બીજાને છેતરનારાને છેતરવો એ જ સાચો ઉપાય છે.]
शतेषु जायते शूरः सहस्त्रेषु च पंडितः। वक्ता दशसहस्त्रेषु दाता भवति वा न वा॥
[દર સો માણસે એકાદ શૂરવીર મળી આવે. એક હજાર માણસે એકાદ જાણકાર પંડિત મળે. દશ હજાર માણસોમાંથી એકાદ સારો વક્તા પાકે. પણ દાતા તો ગમે તેટલું શોધો, જવલ્લે જ મળે.]
शान्तितुल्यं तपो नास्ति तोषान्न परमं सुखम्। नास्ति तृष्णापरो व्याधिर्न च धर्मो दयापर॥ [શાંતિ સમાન કોઈ તપ નથી. સંતોષ સમાન કોઈ સુખ નથી. તૃષ્ણા સમાન કોઈ વ્યાધિ નથી અને દયા સમાન કોઈ ધર્મ નથી.1.
63