________________
[શંકરાચાર્યનો આ બોધ છે. ગોવિન્દને ભજ, ગોવિન્દને ભજ, હે મૂઢ માણસ, અંતિમકાળે તેના સિવાય અન્ય કોઈ તારું રક્ષણ નહિ કરી શકે.]
भो दारिद्र्य नमस्तुभ्यं सिद्धोऽहं त्वत्प्रसादतः। पश्याम्यहं जगत्सर्वं न मां पश्यति कश्चन ॥
[હે દારિદ્ર, તારો પરચો બહુ ભારી છે. તારા પ્રતાપે હું સિદ્ધ પુરુષ બની ગયો છું. હું આખા જગતને જોઈ શકું છું પણ આખા જગતમાં કોઈને હું દેખાતો નથી. (કેમકે મને જોતાવેંત બધા મોઢુ ફેરવીને ચાલતા થઈ જાય છે !)]
भोगाः न भुक्ता वयमेव भुक्ताः ।
तृष्णा न जीर्णा वयमेव जीर्णाः ॥
[ભોગ ભોગવાતા નથી, આપણે જ ભોગવાઈ જઈએ છીએ. તૃષ્ણા કદી વૃદ્ધ થતી નથી, આપણે જ વૃદ્ધ થઈ જઈએ છીએ.]
भ्रमन् वनान्ते नवमंजरीषु न षट्पदो गन्धफलीमजिघ्रत्।
सा किं न रम्या स च किं न रन्ता बलीयसी केवलमीश्वरेच्छा॥
[વનમાં ફરી ફરીને નવા તાજા પુષ્પ પર બેસતો ભ્રમર ગંધફલી (વનચંપો?)ને સુંઘતો પણ નથી. શું તે સુંદર નથી? શું ભ્રમર આતુર નથી ? ખરેખર, ઈશ્વરની ઇચ્છા જ બળવાન છે.]
મ
मधुरेण समापयेत्।
[કોઈ પણ કાર્યની પૂર્ણાહુતિ મીઠાશથી કરવી જોઈએ.]
मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः । बन्धाय विषयासक्तं मुक्त्यै निर्विषयं स्मृतम् ॥
49