________________
नाक्षरं मंत्ररहीतं नमूलंनौषधिम् ।
अयोग्य पुरूषं नास्ति योजकस्तत्रदुर्लभः॥
[એવો કોઈ અક્ષર નથી કે જેમાં મંત્રશક્તિ ન હોય, વનસ્પતિનું એવું કોઈ મૂળીયું નથી કે જેમાં ઔષધશક્તિ ન હોય, એવો કોઈ માણસ નથી કે જે કોઈ કામનો ન હોય. પણ આ બધાનો યોગ્ય ઉપયોગ કરી શકે તેવા માણસ મળવા દુર્લભ છે.]
नास्ति भार्यासमं किञ्चिन्नरस्यार्तस्य भेषजम् ॥
[દુઃખી-પીડિત પતિ માટે પત્નીથી વધુ સારું ઔષધ બીજું કોઈ નથી!]
नास्ति विद्या समं चक्षू नास्ति सत्य समं तपः ।
नास्ति राग समं दुःखम् नास्ति त्याग समं सुखम्॥
[જ્ઞાન જેવા ચક્ષુ નથી, સત્ય સમાન કોઈ તપ નથી. મોહમાયા જેવું કોઈ દુઃખ નથી. ત્યાગ સમાન કોઈ સુખ નથી.]
नायमात्मा प्रवचनेन लभ्यो न मेधया न बहुना श्रुतेन ।
यमेवैष वृणुते तेन लभ्यः तस्यैष आत्मा विवृणुते तनूँ स्वाम् ॥
[કઠોપનિષદનો પાંચમો શ્લોક આત્મસિદ્ધિ એટલે કે આત્મજ્ઞાન કેવી રીતે મળે? પ્રવચનો સાંભળવાથી? બુદ્ધિના પેચ લડાવવાથી ? અનેક વિદ્વાનો, સાધુ. સંતો પાસેથી બોધ મેળવવાથી? ના. કોઈ કોઈને આત્મજ્ઞાન આપી શકતું નથી આત્મા જ અરજી કરનારો છે અને આત્મા જ અરજી સ્વીકારનારો છે. જેનો આત્મા પોતાની અરજ સ્વીકારે ત્યાં આત્મા પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે.]
निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु लक्ष्मीः स्थिरा भवतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥
[નિષ્ણાત માણસો નિંદા કરે કે વખાણ કરે, ધન-સંપત્તિ ટકે કે ચાલી જાય, મરણ હમણાં આવે કે પછી પણ ધૈર્યવાન માણસો ન્યાયના પંથથી વિચલિત થતા નથી.]
43