SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન-૮ ૧૫૩ ૧૫૪ કલ્પ [બારસાં] સૂત્ર પાંચમા શિષ્ય આર્ય સુધર્મા નામના અગ્નિવૈશાયન ગોળીય વિરે પાંચસો શ્રમણોને વાચના આપી. છા શિષ્ય મંડિતપુત્ર નામના વાસિષ્ઠ ગોત્રીય સ્થવિરે ત્રણસો પચાસ શ્રમણોને વાચના આપી. સાતમા શિષ્ય મૌર્યપુત્ર નામના કાશ્યપગોત્રીય વિરે ત્રણસો પચાસ શ્રમણોને વાચના આપી. • ૨૧] આજે જે શ્રમણ નિગ્રંથ વિચરે છે, અથવા વિધમાન છે તે બધા આર્ય સુધમ અણગારના સંતાન છે, બાકી બધા ગણધરોની શિષ્ય પરંપરા વિચ્છિન્ન થઈ ગઈ છે. આઠમા શિષ્ય અકંપિત નામના ગૌતમ ગોત્રીય સ્થવિરે અને નવમા શિષ્ય અલભ્રાતા નામના હારિતાયન ગોત્રીય સ્થવિરે ત્રણસો-ત્રણસો શ્રમણોને વાચના આપી. દશમા શિષ્ય મેતાર્ય નામના કૌડિન્ય ગોત્રીય સ્થવિરે અને અગિયારમાં શિષ્ય પ્રભાસ નામના કૌડિન્ય ગોત્રીય સ્થવિરે ત્રણસો ત્રણસો શ્રમણોને વાચના આપી. • [૧૧૮] શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રીય હતા. કાશ્યપ ગોગીય શ્રમણ ભગવાન મહાવીરના અગ્નિવૈશાયન ગોત્રીય સ્થવિર આર્ય સુધમના કાશ્યપ ગોત્રીય સ્થવિર આર્ય જંબૂ નામના અંતેવાસી હતા. • [૨૧૯] કાશ્યપ ગોત્રીય સ્થવિર આર્ય જંબૂના કાત્યાયન ગોત્રીય સ્થવિર આર્ય પ્રભવ નામે અંતેવાસી હતા. તે કારણે હે આર્યો ! એમ કહેવામાં આવે છે કે શ્રમણ ભગવાન મહાવીરને નવ ગણ અને અગિયાર ગણધર હતા. • [૨૦] કાત્યાયન ગોત્રીય સ્થવિર આર્ય પ્રભવના વલ્યગોત્રીય સ્થવિર આર્ય શäભવ નામે અંતેવાસી હતા. • [૨૧૬] શ્રમણ ભગવાન મહાવીરના અગિયારે ગણધરો દ્વાદશાંગીના જ્ઞાતા હતા. ચૌદ પૂર્વના વેત્તા હતા અને સમગ્ર ગણીપિટકના ધારક હતા. તે બધા રાજગૃહી નગરમાં એક માસ સુધી નિર્જળ અનશન કરી કાળ ધર્મને પ્રાપ્ત થયા યાવત્ સર્વ દુઃખોથી રહિત થયા. ભગવાન મહાવીરના નિર્વાણ પછી સ્થવિર ઈન્દ્રભૂતિ અને સ્થવિર આર્ય સુધર્મા પરિનિર્વાણને પ્રાપ્ત થયા. • [૨૨૧] મનકના પિતા અને વસ્યગોત્રીય સ્થવિર આર્ય સિજ્જભવના તંગિયાયન ગોત્રીય સ્થવિર આર્ય યશોભદ્ર નામના અંતેવાસી હતા.
SR No.009084
Book TitleKalpaSutra Mool Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy