________________
સૂગ-૩૧૭
૨૩૯
હોવાથી તેને શલાકા પરા કહેવામાં આવે છે. અનવસ્થિત ખાલી થાય ત્યારે તેની સાક્ષીરૂપે એક સરસવ શલાકામાં નાંખવામાં આવે છે. આ રીતે શલાકા પલ્સમાં નાંખવામાં આવેલ સરસવોથી જાણી શકાય છે કે ઉત્તર અનવસ્થિત’ પર્ચ કેટલીવાર ખાલી થયો છે.
(3) પ્રતિશલાકા પલ્ય :- પ્રતિસાક્ષીભૂત સરસવોથી તે ભરાય છે માટે તેને પ્રતિશલાકા કહે છે. જેટલી વાર શલાકા પલ્ય ભરાઈ જાય અને તેને ખાલી કરવામાં આવે તેટલીવાર તેની સાક્ષીરૂપ એક-એક સરસવ પ્રતિશલાકા પલ્સમાં નાંખવામાં આવે છે. પ્રતિશલાકા પત્રમાં નાંખવામાં આવેલ સરસવોથી જાણી શકાય છે કે શલાકા પલ્ય કેટલીવાર ખાલી થયો. આ પલ્ય સ્થિર માપવાળો છે.
(૪) મહાશલાકા :- મહાસાક્ષીભૂત સરસવો દ્વારા ભરવાના કારણે તેને મહાશલાકા પલ્સ કહે છે. પ્રતિશલાકા જેટલીવાર ભરીને ખાલી કરવામાં આવે તે પ્રત્યેકવાર એક-એક સરસવ મહાશલાકા પત્રમાં નાંખવામાં આવે છે. મહાશલાકામાં જેટલા સરસવ હોય તેટલીવાર પ્રતિશલાકા પલ્ય ખાલી થયો છે તેમ જાણી શકાય છે.
• સૂત્ર-૩૧/૮ -
આ રીતે ઉત્કૃષ્ટ સંખ્યામાં એક ઉમેરવામાં આવે અને જે સંખ્યા પ્રાપ્ત થાય તે જઘન્ય પરિત અસંખ્યાત કહેવાય છે. ત્યાં પછી ઉત્કૃષ્ટ પરિdઅસંખ્યાત સ્થાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મધ્યમ હરિત્ત અસંખ્યાતના સ્થાન છે.
ધન :* ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતનું પ્રમાણ શું છે ? ઉત્તર :- જઘન્ય પરિdઅસંખ્યાત શશિને જઘન્ય પરિઅસંખ્યાત રાશિથી પરસ્પર અભ્યાસ કરી (પરસ્પર ગુણાકાર કરી) જે રાશિ પ્રાપ્ત થાય, તેમાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ પરિdઅસંખ્યાતનું પ્રમાણ પ્રાપ્ત થાય છે અથવા એક ન્યૂન જઘન્ય યુકતઅસંખ્યાત જ ઉત્કૃષ્ટ પરિdઅસંખ્યાત છે.
- વિવેચન-૩૧/૮ :
આ બે સત્રમાં અસંખ્યાતના પ્રથમ ભેદ પરિઅસંખ્યાતના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણે પ્રકારનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. ઉત્કૃષ્ટ સંખ્યામાં એક મેસ્વાથી જઘન્ય પરિત અસંખ્યાત સશિ પ્રાપ્ત થાય છે. જઘન્ય પરિdઅસંખ્યાતનો અભ્યાસ કરવાથી જે સશિ આવે, તેમાંથી એક ન્યૂન કરતાં જે રાશિ નિષ્પન્ન થાય તે ઉત્કૃષ્ટ પરિdઅસંખ્યાત કહેવાશે.
જઘન્ય પરિત અસંખ્યાતની અભ્યાસ રાશિ આવે તે જઘન્ય યુક્તઅસંખ્યાત છે અને તેમાંથી એક ન્યૂન સશિ ઉત્કૃષ્ટ પરિdઅસંખ્યાત શશિ કહેવાય છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાત વચ્ચેની સર્વશશિ મધ્યમ પરિત અસંખ્યાત છે.
• સૂત્ર-૩૧૭/૯ :પ્રશ્ન :- જઘન્ય યુકત અસંખ્યાતનું પ્રમાણ કેટલું છે ? ઉત્તર - જઘન્ય
૨૪o
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પરિdઅસંખ્યાત રાશિનો જઘન્ય પરિdઅસંખ્યાત રાશિનો પરસ્પર અભ્યાસ કરવાથી જે સશિ પ્રાપ્ત થાય તે પરિપૂર્ણ રાશિ જઘન્ય યુકતઅસંખ્યાત કહેવાય છે અથવા ઉત્કૃષ્ટ પરિતસંખ્યામાં એક ઉમેરવાથી પ્રાપ્ત રાશિ જઘન્ય યુકતઅસંખ્યાત કહેવાય છે. જઘન્ય યુક્તઅસંખ્યાત તુલ્ય પ્રમાણ-વાળી એક આવલિકા હોય છે. જઘન્ય યુકતઅસંખ્યાતથી આગળ ઉત્કૃષ્ટ યુકતઅસંખ્યાત પર્વતની રાશિઓ મધ્યમ યુકતઅસંખ્યાત કહેવાય છે.
ધન :- ઉત્કૃષ્ટ યુક્તઅસંખ્યાતનું પ્રમાણ કેટલું છે ? ઉત્તર :- જઘન્ય યુકતઅસંખ્યાત રાશિને આવલિકાથી અથતિ જઘન્ય યુક્તઅસંખ્યાત રાશિના અભ્યાસથી પ્રાપ્ત રાશિમાંથી એક ન્યૂન કરતાં જે રાશિ નિum થાય તે ઉત્કૃષ્ટ સુકતઅસંખ્યાત કહેવાય અથવા જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત રાશિમાંથી એક જૂન કરતાં ઉત્કૃષ્ટ યુકતઅસંખ્યાત થાય છે.
• વિવેચન-૩૧/૯ :
જઘન્ય પરિત અસંખ્યાત રાશિના અભ્યાસ સશિ તુલ્ય જઘન્ય યુકતઅસંખ્યાત છે. તેમાંથી એક ઓછું કરતાં ઉત્કૃષ્ટ પરિઅસંખ્યાત થાય. જઘન્ય યુક્તઅસંખ્યાતની સશિના અભ્યાસ સશિતુલ્ય જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત થાય. તેમાંથી એક ઓછું કરતાં ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત થાય છે. જઘન્ય યુક્તઅસંખ્યાતને જઘન્ય યુક્તાસંગાતથી અભ્યાસરૂપ ગુણતા જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત થાય છે.
• સૂત્ર-૩૧/૧૦ :
જદઘન્ય અસંખ્યાતઅસંખ્યાતનું પ્રમાણ કેટલું છે ? જઘન્ય યુકતઅસંખ્યાત રાશિને આવલિકાના સમયોથી અભ્યાસ રૂપે પરસ્પર ગુણાકાર કરતાં પ્રાપ્ત પરિપૂર્ણ રાશિ તે જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત છે અથવા ઉત્કૃષ્ટ યુક્તઅસંખ્યાતમાં એક ઉમેરવાથી જદન્ય અસંખ્યાતઅસંખ્યાત થાય છે. જાન્યથી આગળ ઉત્કૃષ્ટ સ્થાન ન આવે ત્યાં સુધીના મદમ સ્થાન.
પ્રશ્ન - ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાતનું પ્રમાણ કેટલું છે? ઉત્તર :જા અસંખ્યાતઅસંmતની રાશિને તે જ જળ સંખ્યldઅસંખ્યાત સશિ સાથે તેટલી જ વાર અન્યોન્ય અભ્યાસ (ગુણકાર) રૂપે ગુણા કરતાં પ્રાપ્ત સંખ્યામાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાત બને છે અથવા એક જૂન જઘન્ય પરિક્તાનંત શશિ જ ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાત પ્રમાણ છે..
• વિવેચન-૩૧૩/૧૦ :
આ બે સૂત્રોમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાતનું સ્વરૂપ વર્ણન છે. જઘન્ય યુક્તઅસંખ્યાત રાશિના અભ્યાસથી પ્રાપ્ત શશિ જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત કહેવાય છે અને જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત શશિને અભ્યાસ રૂપે ગણવાથી જે સશિ પ્રાપ્ત થાય તે જઘન્ય પરીતાનંત છે. તેમાંથી એક ન્યૂન કરતાં