________________
૨/૦૫, ૬
મ
જુએ. પરંતુ શત્રુનો જય કરવામાં આ સહાયક છે, એવી બુદ્ધિથી સાધુવત્ જ જુએ છે.
તો શું ફરી અપકારને માટે ઉપસ્થિત થાય કે સંકલેશ પામે ? અસાધુ જ છતી શક્તિએ પ્રતિ અપકારને માટે ઉપસ્થિત થાય અને શક્તિ ન હોય તો વિકૃત દૃષ્ટિથી જુએ અથવા સંકલેશ કરે. -x-x- અસાધુતાનો વિચાર પણ ન કરે - તેની ઉપર દ્રોહ
સ્વભાવ ધારણ ન કરે.
હવે થા એ દ્વાર છે. તેમાં ‘“હો ન સંવલેદિ” આદિ સૂત્ર અર્થથી સ્પર્શના ઉદાહરણ કહે છે -
• નિયુક્તિ - ૧૧૧ થી ૧૧૩ + વિવેચન -
આ ત્રણે નિયુક્તિનો અક્ષરાર્થ બતાવીને વૃતિકાર આગળ કહે છે કે - ભાવાર્થ તો સંપ્રદાયથી જાણવો, તે આ પ્રમાણે છે .
શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજા, ધારિણી રાણી હતી. તેનો પુત્ર સ્કંદક નામે કુમાર હતો. તેની પુરંદરયશા નામે બહેન હતી. તે કુંભકારકટ નગરમાં દંડકી નામે રાજા હતો. તેની સાથે પુરંદરયશાને પરણાવી. તે દંડકી રાજાને પાલક નામે બ્રાહ્મણ પુરોહિત હતો.
કોઈ દિવસે શ્રાવસ્તીમાં મુનિસુવ્રતસ્વામી તીર્થંકર પધાર્યા, પર્ષદા નીકળી, સ્કંદક (ખંધક) પણ નીકળ્યો, ધર્મ સાંભળીને તે શ્રાવક થયો.
કોઈ દિવસે તે પાલક બ્રાહ્મણ દૂતપણાને કારણે શ્રાવસ્તી આવ્યો. સભા મધ્યે સાધુના અવર્ણવાદ કરતા પાલકને બંધકે અનુત્તર વડે માર્ગણા કરતા પાલકને પ્રદ્વેષ થયો. ત્યારથી ખંધકના છિદ્રો જાસુસ પુરુષો વડે માર્ગણા કરતો વિચરે છે. તેટલામાં ધકે ૫૦૦ લોકો સાથે મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી. ખંધકમુનિ બહુશ્રુત થયા. તે ૫૦૦ને તેના શિષ્યરૂપે અનુજ્ઞા આપી.
કોઈ દિવસે ખંધકઋષિએ ભગવંતને પૂછ્યું - હું બહેનની પાસે જાઉં છું. ભગવંતે કહ્યું - મારણાંતિક ઉપસર્ગ થશે, ખંધકમુનિએ પૂછ્યું કે - હું આરાધક થઈશ કે વિરાધક ભગવંતે કહ્યું - તને છોડીને બાકીના બધાં આરાધક થશે. બંધકઋષિએ કહ્યું - સુંદર, જો આટલાં બધાં આરાધક થાય. તેઓ કુંભકારકટ નગરે ગયા. તેઓ જે ઉધાનમાં રહેલા, ત્યાં પાલકે આયુધોને ગોપાવી દીધા. પછી રાજાને વ્યુાહિત કર્યા કે - આ કુમાર પરીષહથી પરાજિત થઈને, આ ઉપાયથી આપને મારીને રાજ્યને ગ્રહણ કરશે. જો આપને વિશ્વાસ ન હોય તો ઉધાનમાં જઈને જુઓ. આયુધો ગોપવેલ હતા, તે
બતાવ્યા.
તે સાધુઓને બાંધીને તે જ પુરોહિતને સોંપી દીધા, તે બધાંને એક પુરુષયંત્ર - ઘાણીમાં નાંખીને પીલી નાંખ્યા. તે બધાંએ સમ્યક્ રીતે તે વેદનાને સહન કરી. તેઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને સિદ્ધ થયા.
ખંધક પણ પડખે લઈ જવાયો. લોહીના છાંટા ઉડતા અને મરતા બધાંની પાછળ યંત્રમાં પીલાતા તેઓ નિયાણુ કરીને અગ્નિકુમારમાં ઉપજ્યા. Jain Munternational
For Private & Personal Use Only
www.jainelibrary.org