SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫, ૬૬ એકલા રહેલને ન થાય. પરંતુ તેમણે ચર્ચા પરીષહ સહન કરવો જોઈએ, તે કહે છે - • સૂત્ર - ૭, ૬૮ શક સા0િ વાઢમનિ એવા જ પરીષહીને પરાજિત કરી ગામ, નગર, નિગમ કે રાજધાનીમાં વિચરણ કરે, ભિલ ગૃહસ્થાદિ અસમાન થઈ વિચારે. પરિકગ્રહ ન કરે, ગૃહસ્યોથી અસંસક્ત રહે. સીબ અનિકેત ભાવે પરિભ્રમણ કરે. • વિવેચન ૬, ૬૮ એકલો જ અર્થાત રાગદ્વેષ રહિત, અપ્રતિબદ્ધ વિહારથી વિચરે અથવા સહાય રહિતતાથી તથાવિધ ગીતાર્થ. કહે છે કે - જો ગુણાધિક કે ગુણથી સમાનની નિપુણ સહાય ન મળે, તો પાપનું વર્જન કરતો અને કામમાં આસક્ત ન થતો એકલો વિચરે. લઢ- પ્રાસુક અને એષણીય આહાર વડે કે સાધુ ગણોથી આત્માનું ચાપન કરે તે લાઢ, આ શબ્દ પ્રશંસાવાચી છે. તેથી એકલો, પ્રતિમા પ્રતિપન્ન આદિ એવો તે સગાદિ રહિત વિચરે, સુધાદિ પરીષહોનો જચ કરે, પ્રામાદિમાં વિહરણ કરે. અહીં ગામ શબ્દ પૂર્વે કહ્યો છે, નગર - કર રહિત સંનિવેશ, નિગમ - વણિકોનો નિવાસ, રાજસ્થાની - પ્રસિદ્ધ છે. ઉપલક્ષણથી મડંબ આદિ પણ લેવા. આના વડે આગ્રહનો અભાવ કહ્યો. ફરી તે કહે છે - મુનિને “સમાન' સાથે અથર્ ગૃહસ્થને આશ્રીને મૂર્ણિતપણા વડે અથવા અન્યતીર્થિકોમાં, અનિયત વિહાર હોવાથી તે અસમાન છે અથવા સમાન એટલે સાહંકાર, તેમ ન હોવાથી અસમાન, અથવા અસમાન એટલે નિવાસન વિધમાન નથી તેવા. જ્યાં રહે ત્યાં પણ અસંનિહિત જ રહે. - એ પ્રમાણે મુનિ વિચરે. પ્રતિબદ્ધ વિહાર પણાથી યતિ વિચરે. એ કઈ રીતે? તે કહે છે. ગ્રામ આદિમાં મમત્વ બુદ્ધિરૂપ પરિગ્રહ ન કરે. કહે છે કે - ગામ, કુળ, નગર કે દેશમાં ક્યાંય કોઇ મમવભાવ ન કરે. આ મમત્વભાવ કઈ રીતે થાય? તે કહે છે - ગૃહસ્થ સાથે અસંબદ્ધ રહે. અનિકેતા - જેને ઘર વિધમાન નથી, તેવો થાય. બદ્ધ આસ્પદ ન થઈ, ચોતરફ વિચરે. ગૃહી સંપર્ક ન રાખે. તેમ કરતાં મમત્વબુદ્ધિ થાય. અહીં શિષ્યદ્વારને અનુસરતો “અસમાપ યર” ઇત્યાદિ મૂળ સૂચિત ઉદાહરણ કહે છે. • નિર્યુક્તિ - ૧૦૬ + વિવેચન - આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયાનુસાર વૃતિકાર કહે છે, તે આ - કોલ્લકર નગરમાં સંગમ સ્થવિર આચાર્ય રહેતા હતા દુકાળને લીધે તેમણે સાધુઓને વિસર્જિત કર્યો, તે નગરના નવ ભાગ કરીને પરીક્ષીણ જંઘાબળથી વિચરે છે. તેનાથી નગરદેવતા પણ ઉપશાંત થયેલો. તેમને દત્ત નામે શિષ્ય હતો. ઘણાં કાળ પછી પાછો આવ્યો. તે તેમના પ્રતિશ્રયમાં ન પ્રવેશ્યો. કેમકે આચાર્ય નિત્યવાસ રહેલ છે. ભિક્ષાવેળાએ ઔપગ્રહિક ચાલતા તે સંક્લેશ પામ્યો. કુંટ શ્રાદ્ધકળો દર્શાવતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy