SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 (૧૫૩૭૯) તૈજસ શરીરને છોડીને ફરી તૈજસ શરીરમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્ય અંતર્મુહૂત છે, ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૫૮૦) an, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી તેઉકાયના હજારો ભેદો છે. ૨૦૪ ♦ વિવેચન - ૧૫૭૩૨ થી ૧૫૮૦ નવે સૂત્રો પ્રાયઃ પૂર્વવત્ છે. વિશેષ એ - અંગાર - ધુંવાળા વગરની જ્વાલા, મુર્મુર - ભસ્મમિશ્ર અગ્નિકણ, ર્ધિ: - મૂળ પ્રતિબદ્ધ જ્વાળા. તેજો જીવ કહ્યા, હવે વાયુ જીવોને કહે છે - • સૂત્ર - ૧૫૮૧ થી ૧૫૮૯ (૧૫૮૧) વાયુકાયના જીવોના બે ભેદો છે સૂક્ષ્મ અને બાદર. ફરી - · તે બંનેના પણ પાસ અને અપકિ બબ્બે ભેદો છે. (૧૫૮૨) બાદર પર્યાપ્ત વાયુકાયના જીવોના પાંચ ભેદ છે - ઉત્કલિકા, મંડલિકા, ધનવાત, ગુંજાવાત અને શુદ્ધવાત. (૧૫૮૩) સંવર્તક વાત આદિ બીજા પણ આવા ભેદો છે. 0 સૂક્ષ્મ વાયુકાયના જીવો એક પ્રકારે છે. તેના પેટા ભેદો નથી. (૧૫૮૪) સુક્ષ્મ વાયુકાય જીવો સંપૂર્ણ લોકમાં અને બાદર વાયુકાયના જીવ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. હવે હું ચાર પ્રકારે વાયુકાચિક જીવોના કાળ વિભાગોનું કથન કરીશ. (૧૫૮૫) તે જીવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિ અપેક્ષાથી તે સાદિ સાંત છે. (૧૫૮૬) તે જીવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષ છે, જધન્યથી અંતર્મુહૂર્ત છે. (૧૫૮૭) તેની કારસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળની છે. જધન્ય અંતર્મુહૂર્ત છે. વાયુ શરીર ન છોડીને નિરંતર વાયુના શરીરમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે. (૧૫૮૮) વાયુ શરીરને છોડીને પછી ફરી તે શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૫૮૯) વ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી વાસુકાયના હજારો ભેદ હોય છે. • વિવેસન ૧૫૮૧ થી ૧૫૮૯ - Jain Education International નવ સૂત્રો પૂર્વવત્ છે. પાંચ સંખ્યા ઉપલક્ષણથી છે, અહીં આના અનેક ભેદો છે. (૧) ઉત્કલિકા વાયુ - જે રહી રહીને ફરી વાય છે, (૨) મંડલિકા વાયુ - વાતોલી રૂપ છે, (૩) ધનવાત રત્નપ્રભાદિની અધોવર્તી, (૪) ગુંજાવાત - જે ગુંજતો વાચ છે, (૫) શુદ્ધવાત - મંદ પવન (૬) સંવર્તક વાત - જે બહાર રહેલા તૃણાદિને વિવક્ષિત ક્ષેત્રમાં ફેંકે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy