SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩/૧૩૩૪ ૧૬૩ ભેદ અવિધાનથી - X• અભવ્યો જ લેવા. તેઓ અનંત ગુણત્વથી અતિક્રાંત તથા - x - - સિદ્ધોથી તે કર્મ પરમાણુઓ અનંતમાં ભાગે છે. કેમકે તેમની અપેક્ષાથી સિદ્ધોનું અનંત ગુણત્વ છે. એક સમયે ગ્રાહ્ય કર્મ પરમાણુની અપેક્ષાએ આ કહેલ છે. - x x - ૪ - હવે ક્ષેત્રને આશ્રીને કહે છે - • સૂત્ર • ૧૩૫ - બધાં જીવોને માટે સંગ્રહ કર્મયુગલ છે એ દિશાઓમાં આત્માથી સ્કૃષ્ટ બધા આકાશ પ્રદેશોમાં છે. તે બધાં કર્મપદગલ બંધના સમયે આત્માના બધા પ્રદેશોની સાથે બદ્ધ થાય છે, • વિવેચન - ૧૩૦૫ - એકેન્દ્રિય આદિ બધાં જ ભેદથી તે જીવો, તેમના જ્ઞાનાવરણાદિ કમોંની સંગ્રહણ ક્રિયા, તેમાં યોગ્ય થાય છે. અથવા બધાં જીવો કર્મોનો સંગ્રહ કરે છે. કેવા પ્રકારે ? છ એ દિશામાં રહેલ-સ્થિત કર્મોનો. તેમાં પૂર્વાદિ ચાર દિશા અને ઉર્ધ્વ તથા અધો એ છે દિશા લેવી. આ છ દિશા આત્માએ રોકેલા આકાશ પ્રદેશની અપેક્ષાથી લેવી. જે આકાશ પ્રદેશમાં જીવ અવગાઢ હોય, ત્યાં જ જે કર્મ પગલો હોય, તે સગાદિ નેહગુણના યોગથી આત્મામાં ચોટે છે, પણ બીજા ક્ષેત્રમાં અવગાઢ હોય તે ચોંટતા નથી. કેમકે ભિન્ન દેશમાં તેના ભાવ - પરિણામનો અભાવ હોય છે. - ૪ - વિદિશાની અલ્પત્વથી વિવક્ષા કરી નથી. પણ વિદિશામાં રહેલ કમોં પણ આત્મા વડે ગ્રહણ કરેલ નથી. તથા જે કેટલીક દિશામાં દ્રવ્યાંતરત્વ કહેલ છે, તેને પણ અહીં ગ્રહણ કરેલ નથી. વળી છ દિશામાંથી જે કહ્યું, તે બે ઇંદ્રિયને આશ્રીને નિયમથી કહેવું. એકેન્દ્રિયમાં તો અન્યથા પણ સંભવે છે. કેમકે આગમમાં તેવો સાક્ષીપાઠ છે. • x x x આત્મા જ સર્વ પ્રકૃતિ પ્રાયોગ્ય પુદ્ગલને સામાન્યથી ગ્રહણ કરીને, તેને જ અધ્યવસાય વિશેષથી પૃથફ પૃથક્ જ્ઞાનાવરણાદિ રૂપ પણે પરિણમાવે છે. આવા પ્રકારે કર્મ સંગ્રહીત થઈને શું કેટલાંક જ આત્મ પ્રદેશોથી બદ્ધ થાય છે કે સર્વ આત્મા વડે બદ્ધ થાય છે ? સર્વ આત્મા વડે જ બદ્ધ થાય, કેટલાંક પ્રદેશો વડે નહીં. દુધ અને પાણી માફક એકમેક થાય છે - - - તે ગ્રહણ કરાયા પછી કોની સાથે કેટલા કે કઈ રીતે બંધાય છે ? બધાં જ પ્રદેશો વડે આત્મા સર્વ પ્રકૃતિરૂપે પ્રકૃતિ - સ્થિતિ આદિથી બદ્ધ થાય. હવે કાળને આશ્રીને કહે છે - • સૂત્ર - ૧૩૭૬ થી ૧૩૮૦ • (૧૩૭૬, ૧૩9) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને આંતરાય કર્મની આ સ્થિતિ બતાવેલી છે - ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ • કોડાકોડી સાગરોપમની છે, જધન્ય સ્થિતિ અંતમુહૂર્તની છે. (૧૩૭૮) મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ • ક્રોડાકોડી સાગરોપમ છે અને જધન્ય સ્થિતિ અંતમુહૂર્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy