SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ ' S છે, ૧૫૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 તે - “મેં આ શું અનિષ્ટ જોયું?” એમ મનમાં વ્યાકુળ થઈને પરિતાપ પામે છે. - * - * - ૪ - અહીં સૂત્રમાં રાગ અને દ્વેષ બંનેને અનર્થ હેતુક કહેલા છે. * * * * * * - હવે રાગના જ પાપકર્મોપયય લક્ષણ મહા અનર્થહેતુતાને જણાવવાને માટે હિંસાદિ આશ્રવ નિમિત્તતાને ફરી અહીં તે દ્વારથી દુ:ખજનકવને છ સૂત્રો વડે કહે છે - રૂપ - મનોજ્ઞાને અનુસરે છે, તે રૂપાનુગ એવી તે આશાને રૂપાનુગાશા અર્થાત્ રૂપ વિષય અભિલાષ. તેને અનુગત જીવ. તે ચરાચર અર્થાત્ બસ અને સ્થાવર જીવોને હાણે છે, વિનાશ કરે છે. કેવા જીવોને હણે છે ? જાતિ આદિ ભેદથી અનેક પ્રકારના જીવોને હણે છે. કેવી રીતે હણે છે ? સ્વકાય અને પરકાય શસ્ત્રાદિથી અનેક ઉપાયો વડે હણે છે. યથાસંભવ ચિત્તમાં તે ચરાચર જીવોને સર્વતઃ તાપિત કરે છે અર્થાત દુઃખ આપે છે. બાળની જેમ વિવેક રહિતતાથી બીજાને પીડે છે. કોણ પીડે છે? સ્વપ્રયોજનમાં જ સ્થિત અને સગથી બાધિત થયેલો તે પીડે છે. અને બીજું - રૂપ વિષય અનુપાત અર્થાત્ અનુરાગ, તેમાં મૂળરૂપ પરિગ્રહના હેતુથી ઉત્પાદનમાં, સંરક્ષણમાં અને સંનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંથી હોય? અહીં ઉત્પાદન એટલે ઉપાર્જન, ર - અપાય નિવારણ, સંમિચોગ - સ્વ કે પર પ્રયોજનોમાં સમ્યફ વ્યાપારણ- પ્રવૃત્ત વ્યય - વિનાશ, વિયોગ - વિરહ. આ બઘાને કારણે રૂપના વિષયમાં સુખ ક્યાંથી હોય? જરાપણ ન હોય. પરંતુ બધે જ દુખ જ હોય. એ પ્રમાણે અહીં કહેવાનો ભાવ છે. અહીં આ પ્રમાણે ભાવના કરવી - રૂપમાં મૂર્શિત જ રૂપવત્ હાથી, ઘોડા, સ્ત્રી, આદિના ઉત્પાદન અને ક્ષણને માટે તે - તે કલેશ હેતુ ઉપાયોમાં જીવો પ્રવર્તે છે. તથા તેવા પ્રકારના પ્રયોજનની ઉત્પત્તિમાં રૂપવત્ સ્ત્રી આદિને નિયોજવા છતાં તેના અપાયની શંકાથી ફરી ફરી પરિતાપ પામે છે તેથી સિદ્ધ થાય છે કે તેના ઉત્પાદન, રક્ષણ અને સંનિયોગમાં દુખ છે. એ પ્રમાણે વ્યય અને વિયોગમાં પણ વિચારવું. બીજા કહે છે - રૂપાનુરાગના હેતુથી જે પરિગ્રહ તેનાથી દુઃખી થાય, કદાચ રૂપના ઉત્પાદન આદિમાં સંભોગ કાળે અથતિ ઉપભોગ સમયે સુખને પામે એવી આશંકા થાય, તેથી કહે છે - તેમાં તૃમિનો લાભ ન પામે. રૂપના ઘણાં દર્શન છતાં સગીને તૃપ્તિ થતી નથી. - x- ઇત્યાદિ કારણે તેમને સુખ ક્યાંથી હોય? જીવો ઉત્તરોત્તર ઇચ્છાથી પરિતાપ પામે છે કેમકે તેમને તૃતિની પ્રાપ્તિનો અભાવ હોય. રૂપમાં અતૃપ્ત અને પરિગ્રહમાં અર્થાત્ તે વિષયની મૂછમાં સામાન્યથી આસક્તિવાળો અને ઉપસક્ર - ગાઢ આસક્ત હોય તે તુષ્ટિ આથત પરિતોષને પામતો નથી. અતુષ્ટિ દોષથી દુઃખી થઈને - “જો મારે આવી આવી રૂપવત્ વસ્તુ હોત તો ? એવી આકાંક્ષાથી અતિશય દુ:ખાવાન થાય છે. પછી તે વ્યક્તિ શું કરે છે? તે કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy