SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ આના વડે પ્રકામ ભોજનનો પરિહાર બતાવ્યો. હવે રાગને ઉદ્ધરવા માટે જેનો પરિહાર કરવો જોઈએ તેને આશ્રીને જે અતિ યત્નપૂર્વક કરવું જોઈએ, તે કહે છે. (૧૨૫૮) વિવિ - સ્ત્રિ આદિ રહિત, શય્યા - વસતિ, તેમાં અવસ્થાન, તેના વડે નિયંત્રિત. માસાણા - તેમાં અવમ એટલે ન્યૂન, અશા - આહાર, તેનો જે ભાવ તે ઉણોદરીક્ત રૂપ છે. તેના વડે વશીકર કરાયેલ ઇંદ્રિયો જેના વડે છે તે દfમોન્દ્રિય સગકે જે શત્રુની માફક અભિભવ હેતુ પણે હવોથી ‘રાગશત્રુ' પરાભવ કરે છે. કોનો? ચિત્તનો. • x આના વડે વિવિક્ત શયનાસન આદિનું વિધેયત્વ કહ્યું. હવે વિવિક્ત શયન - આસનમાં યત્ન કસ્વાનું કહી વિપર્યયમાં દોષ કહે છે - (૧૨૫૯) જેમ બિલાડાનો આશ્રય - રહેવાનું સ્થાન, તેના મૂલ- સમીપે ઉંદરો રહે તો તેમને માટે પ્રશસ્ત થતું નથી. કેમકે તેમને ત્યાં અવશ્ય અપાય સંભવે છે. એ પ્રમાણે સ્ત્રીઓ અને ઉપલક્ષણથી નપુંસકોના નિવાસમાં બ્રહ્મચરીને રહેવું યુક્ત નથી. તેમાં બ્રહ્મચર્યમાં બાધા સંભવે છે. વિવિક્ત શય્યામાં રહેવા છતાં કદાચિત્ સ્ત્રીનો સંપાત(યોગી થાય તો તેણે જે કરવું જોઈએ, તે કહે છે (૧ર૬૦) રૂM - સુસંસ્થાનતા, લાવણ્ય - નયન અને મનને આલ્હાદક ગુણ, વિલાસ - વિશિષ્ટ નેપથ્ય રચનાદિ. હાસ - કપોલ વિકાસાદિ. જfuel - મન્મન, ઉલ્લપ આદિ, ઈતિ - અંગભંગ આદિ, વીક્ષિત - કટાક્ષ ઉક્ત બધું સ્ત્રી સંબંધી જાણવું. તેને મનમાં સ્થાપીને અહો ! સુંદર છે. એમ વિકલ્પો ન કરવા. તેને ઇંદ્રિયનો વિષય ન બનાવવો. અહીં સૂરકારશ્રીએ “ચિત્તમાં નિવેશીને” એમ કહીને જણાવેલ છે કે - રાગાદિના જોડાણ વિના સ્ત્રીઓના રૂપ આદિનું દર્શન દોષને માટે થતું નથી. આવો ઉપદેશ કેમ આપ્યો? તે કહે છે - (૧૨૬૧) અદન – એટલે ઇંદ્રિયનું અવિષયીકરણ, અપ્રાર્થના - અભિલાષા ન કરવી, અચિંતન - રૂપાદિને ન પારિભાવવું તે, અકીર્તન - સ્ત્રીનું વર્ણન ન કરવું, અને તે નામથી અને ગુણથી સ્ટીજનનું આર્ચધ્યાન. એ બધું સર્વકાળ બ્રહ્મવતમાં આસક્તોને હિતકર છે. - x વિકારના હેતુથી જેના ચિત્તમાં વિકિયા થતી નથી. તે જ ધીર છે. તો પછી રાગને ઉદ્ધવા માટે શા માટે વિવિક્ત શયન, આસનતા ધારણ કરવી જોઈએ ? તે આશંકા કરતા કહે છે - (૧ર૬૨) દેવી – અપ્સા, મનુષ્યની સ્ત્રી તો શું પણ અલંકૃતા અપ્સરા પણ ક્ષોભ પમાડવા - સંયમથી ચલિત કરવાને સમર્થ નથી. કોને ? મનોમુક્તિ આદિથી ગુમ મુનિને. તો પણ એકાંત હિતકર જાણીને કહે છે કે કેટલાંક અભ્યસ્ત યોગી પણ તેમના સંગથી ક્ષોભ પામે છે. જેઓ ક્ષોભ નથી પામતા તેઓ પણ સ્ત્રી સંસક્ત વસતિવાસમાં અવર્ણાદિ દોષના ભાગી થાય છે. એમ પરિભાવના કરીને વિવિક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy