SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ એ અધ્યયન - ૩૧ - “ચરણવિધિ” છે ત્રીશમાં અધ્યયનની વ્યાખ્યા કરી, હવે એકઝીશમું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે છે - અનંતર અધ્યયનમાં તપ કહ્યો. અહીં તે ચરણવાળાને જ સમ્યગ થાય છે, તેથી “ચરણ' તે કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના પૂર્વવત ઉપક્રમાદિ ચારે દ્વાર પ્રરૂપણા નામ નિષ્પન્ન નિક્ષેપ સુધી કહેવું. તેમાં “ચરણવિધિ” નામ છે તેથી “ચરણવિધિ" શબ્દનો નિક્ષેપો કહેવા નિયુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૫૧૮ થી પર૧ + વિવેચન - ચરણ નો નિક્ષેપો ચાર ભેદે છે. તેમાં દ્રવ્ય ચરણ” બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. નોઆગમથી દ્રવ્ય ચરણ ત્રણ ભેદે છે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત “ ગતિ ભિક્ષાદિ. આચરણમાં આ ચરણ તે ભાવાવરણ જાણવું. વિધિ નો નિક્ષેપો ચાર ભેદે છે, તેમાં દ્રવ્યથી બે ભેદે, નોઆગમથી ત્રણ ભેદે, તેમાં તવ્યતિરિક્ત તે ઇંદ્રિય અર્થોમાં છે. ભાવ વિધિ બે ભેદે છે - સંયમ યોગ અને તપ. ગાથાર્થ કહ્યો - વિશેષ આ પ્રમાણે - ગતિ એટલે ગમન. ભિક્ષા - ભક્ષણ - ૪ -- x• x- આચરણ - જ્ઞાનાદિ આચારમાં સિદ્ધાંતમાં કહેલ અનુષ્ઠાન વિચારતા ચરણ” વિશેષણ જાણવું. તથા ઇંદ્રિય- સ્પર્શન આદિ તેના વિષયો તે સ્પર્શ આદિ. તેમાં જે વિધિ -- અનુષ્ઠાનનું સેવન - ૪- ભાવ વિધિ પણ બે ભેદે છે - સંચમ વ્યાપાર અને અનશનાદિ અનુષ્ઠાનરૂપ તપ. અહીં “ચરણ આસેવન' એ જ ભાવ વિધિ છે. હવે તેને દશવિ છે• નિયુક્તિ - પરર + વિવેચન - ભાવચરણથી અર્થાત્ ચારિત્ર અનુષ્ઠાનથી, અનાચાર અનુષ્ઠાનનો ત્યાગ કરીને ઉકત રૂપ ચરણવિધિમાં યત્ન કરવો જોઈએ. નામ નિષ્પન્ન નિક્ષેપો કહો. હવે સૂબાનુગમમાં - x- સૂબ કહેવું જોઈએ. તે આ પ્રમાણે છે - • સૂત્ર - ૧૨૨૬ - જીવને સુખ પ્રદાન કરનારી ચરણવિધિને હું કહીશ, જેનું આચરણ કરીને ઘણાં જીવો સંસાર સાગરને તરી ગયા છે. - વિવેચન - ૧૨૨૬ : ચરણવિધિને હું કહીશ, તે કેવી છે ? જીવને સુખાવહ કે શુભાવહ એવી. તેનું ફળ દશવિ છે - તે વિધિને સેવીને ઘણાં જીવો ભવસમુદ્રને ઉલ્લંધીને મુક્તિને પામ્યા. • સૂત્ર - ૧૨૨૭ થી ૧૨૫ - (૧રર૭) સાધકે એક તરફથી નિવૃત્તિ અને એક તરફથી પ્રવૃત્તિ કરવી જોઈએ. અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ. (૧૨૮) પાપકર્મના પ્રવર્તક રાગ અને દ્વેષ છે. આ બે પાપકર્મોનો જે ભિન્ન સદા નિરોધ કરે છે, તે સંસાઓ શેકાતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy