________________
૧૨૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ એ અધ્યયન - ૩૧ - “ચરણવિધિ” છે
ત્રીશમાં અધ્યયનની વ્યાખ્યા કરી, હવે એકઝીશમું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે છે - અનંતર અધ્યયનમાં તપ કહ્યો. અહીં તે ચરણવાળાને જ સમ્યગ થાય છે, તેથી “ચરણ' તે કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના પૂર્વવત ઉપક્રમાદિ ચારે દ્વાર પ્રરૂપણા નામ નિષ્પન્ન નિક્ષેપ સુધી કહેવું. તેમાં “ચરણવિધિ” નામ છે તેથી “ચરણવિધિ" શબ્દનો નિક્ષેપો કહેવા નિયુક્તિકાર કહે છે -
• નિયુક્તિ - ૫૧૮ થી પર૧ + વિવેચન -
ચરણ નો નિક્ષેપો ચાર ભેદે છે. તેમાં દ્રવ્ય ચરણ” બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. નોઆગમથી દ્રવ્ય ચરણ ત્રણ ભેદે છે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત “ ગતિ ભિક્ષાદિ. આચરણમાં આ ચરણ તે ભાવાવરણ જાણવું. વિધિ
નો નિક્ષેપો ચાર ભેદે છે, તેમાં દ્રવ્યથી બે ભેદે, નોઆગમથી ત્રણ ભેદે, તેમાં તવ્યતિરિક્ત તે ઇંદ્રિય અર્થોમાં છે. ભાવ વિધિ બે ભેદે છે - સંયમ યોગ અને તપ.
ગાથાર્થ કહ્યો - વિશેષ આ પ્રમાણે - ગતિ એટલે ગમન. ભિક્ષા - ભક્ષણ - ૪ -- x• x- આચરણ - જ્ઞાનાદિ આચારમાં સિદ્ધાંતમાં કહેલ અનુષ્ઠાન વિચારતા ચરણ” વિશેષણ જાણવું. તથા ઇંદ્રિય- સ્પર્શન આદિ તેના વિષયો તે સ્પર્શ આદિ. તેમાં જે વિધિ -- અનુષ્ઠાનનું સેવન - ૪- ભાવ વિધિ પણ બે ભેદે છે - સંચમ વ્યાપાર અને અનશનાદિ અનુષ્ઠાનરૂપ તપ. અહીં “ચરણ આસેવન' એ જ ભાવ વિધિ છે.
હવે તેને દશવિ છે• નિયુક્તિ - પરર + વિવેચન -
ભાવચરણથી અર્થાત્ ચારિત્ર અનુષ્ઠાનથી, અનાચાર અનુષ્ઠાનનો ત્યાગ કરીને ઉકત રૂપ ચરણવિધિમાં યત્ન કરવો જોઈએ. નામ નિષ્પન્ન નિક્ષેપો કહો. હવે સૂબાનુગમમાં - x- સૂબ કહેવું જોઈએ. તે આ પ્રમાણે છે -
• સૂત્ર - ૧૨૨૬ -
જીવને સુખ પ્રદાન કરનારી ચરણવિધિને હું કહીશ, જેનું આચરણ કરીને ઘણાં જીવો સંસાર સાગરને તરી ગયા છે.
- વિવેચન - ૧૨૨૬ :
ચરણવિધિને હું કહીશ, તે કેવી છે ? જીવને સુખાવહ કે શુભાવહ એવી. તેનું ફળ દશવિ છે - તે વિધિને સેવીને ઘણાં જીવો ભવસમુદ્રને ઉલ્લંધીને મુક્તિને પામ્યા.
• સૂત્ર - ૧૨૨૭ થી ૧૨૫ -
(૧રર૭) સાધકે એક તરફથી નિવૃત્તિ અને એક તરફથી પ્રવૃત્તિ કરવી જોઈએ. અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ.
(૧૨૮) પાપકર્મના પ્રવર્તક રાગ અને દ્વેષ છે. આ બે પાપકર્મોનો જે ભિન્ન સદા નિરોધ કરે છે, તે સંસાઓ શેકાતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org