SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ{3 નામે બાહ્ય તપ કહેવાય છે. અહીં એષણીય ફલકાદિ ગ્રહણ કરવા તથા આના વડે વિવિક્ત ચય સંસીનતા કહી છે. - x - આ શેષ સંલીનતાનું ઉપલક્ષણ છે. આનું પ્રાધાન્ય હોવાથી સાક્ષાત્ કહેલ છે. તેનું પ્રાધાન્ય તેના ઇંદ્રિય સંસીનતાના ઉપકારીપણાથી છે. આ સંલીનતા ચાર ભેદે છે - (૧) ઇંદ્રિય સંલીનતા - શ્રોત આદિ ઇંદ્રિયો વડે મનોજ્ઞ - અમનોજ્ઞ શબ્દાદિમાં રાગ કે દ્વેષ ન કરવો તે. (૨) કપાય સંલીનતા - તેના ઉદયનો નિરોધ અને ઉદયમાં આવેલા કષાયનું વિફળ કરવું તે. (3) યોગ સંલીનતા - અકુશલ મનોયોગાદિનો નિરોધ અને કુશલ મનોયોગોની ઉદીરણા. ઉક્ત અર્થનો જ ઉપસંહાર કરતા ઉત્તરગ્રંથ સંબંધ જણાવે છે - • સૂત્ર - ૧૨૧૭ - સંક્ષેપથી આ બાહ્ય તપનું વ્યાખ્યાન કહ્યું. હવે અનુક્રમથી ઓંતર તપનું નિરૂપણ કરીશ - • વિવેચન - ૧૨૧૭ • આ અનંતરોક્ત બાહ્ય તપ સંક્ષેપથી વ્યાખ્યાત કર્યો. આ બાહ્ય તપથી શું ફળ પ્રાપ્ત થાય ? તે કહે છે - નિઃસંગતા, શરીર લાધવતા, ઇંદ્રિય વિજય, સંયમ રક્ષણાદિ ગુણના યોગથી શુભ ધ્યાનમાં અવસ્થિતને કમની નિર્જરા થાય છે. બાહ્ય તપને જણાવ્યા પછી હવે અનુક્રમથી આગંતર તપ કહે છે. પ્રતિજ્ઞાનુસાર કહે છે - • સૂત્ર • ૧૨૧૮ + વિવેચન - પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાદવાસ, દયાન, વ્યસન આ અષ્ણુતર તપ છે. આનો ભાવાર્થ સૂત્રકાર સૂત્રથી કહે છે - • સૂત્ર - ૧૨૧૯ થી ૧૨૨૪ - (૧૨૧૯) આલોચનાહ આદિ દશ પ્રકારે પ્રાયશ્ચિત્ત, જેનું ભિક્ષુ સમ્યફ પ્રકારે પાલન કરે છે, તે પ્રાયશ્ચિત્ત તપ છે. (૧રર૦) અભુત્થાન અંજલિકરણ, આસન આપવું, ગુરુ ભક્તિ, ભાવ શુશ્રુષા અને વિનય તપ જાણવો. (૧૧) આચાર્ય આદિ રાંબંધિત દશ પ્રકારની વૈયાવૃત્યનું યથાશક્તિ અસેવન કરવું તે વૈયાવચ્ચ તપ છે. (૧ર૪૨) વાચના, પૃચ્છની, પરાવર્તન, અનપેક્ષા અને ધર્મકથા એ પાંચ ભેદે સ્વાધ્યાય કહેલ છે. ( ૧૩) આર્જ અને રૌદ્રને છોડીને, સસમાહિત થઈને જે ધર્મ અને શુક્લ ધ્યાનને વ્યાવવું, તેને જ્ઞાનીજનો ધ્યાન તપ કહે છે. (૧૨૪) શયન, આસન, સ્થાનમાં જે ભિક્ષા શરીરથી વ્યર્થ ચેષ્ટા કરતો નથી, તે શરીરનો વ્યુત્સર્ગ, તે છકો તપ કહેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy