SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 કાળ ઉણોદરીતા - દિવસના ચાર પ્રહરોમાં પૂર્વવત્ જેટલો કાળ અભિગ્રહનો વિષય થાય તે કાળ વડે અવમત્વ જાણવું અર્થાત્ તેને કાળના હેતુત્વથી ઉણોદરતા જાણવી. અથવા અભેદ ઉપચારથી તે જ અભિગૃહીત કાળમાં ચરતા તેને ઉણોદરતા જાણવી. ૧૨૬ આ જ વાત બીજા પ્રકારે કહે છે - ત્રીજી પોરિસિમાં આ આહારને ત્રણે એષણાથી ગવેસતા, ન્યૂનતમને જ વિશેષથી કહે છે - ચતુર્ભાગ ન્યૂન ત્રીજી પોિિસમાં, આ કાળ વિષયક અભિગ્રહાદિ પ્રકારથી ગૌચરી માટે વિચરે કાળના ઉમોરથી સાધુ પણ ઉણોદરી તપ યુક્ત કહેવાય છે. આ કથન ઉત્સર્ગથી ત્રીજી પોરિસિમાં ભિક્ષાટનને આશ્રીને કહેલ છે. - હવે ભાવ ઉણોદરતા કહે છે સ્ત્રી કે પુરુષ અલંકારાદિથી વિભૂષિત હોય અથવા અલંકારરહિત હોય. વયને આશ્રીને બાલ્ય આદિ કોઈ અવસ્થા હોય, એ રીતે વસ્ત્રાદિમાં કોઈ વિશેષતા ધારણ કરેલ હોય, તેવી અવસ્થામાંથી કોઈ એક અવસ્થા વિષયક અભિગ્રહ લઈને ગૌચરી અર્થે જવું, બીજી રીતે ‘ભાવ' વિષયક અભિગ્રહ - કોપાયમાન હોય, હસતો હોય ઇત્યાદિ અવસ્થા ભેદથી, વર્ણ વડે કૃષ્ણ આદિ વર્ણ યુક્ત હોય. ઇત્યાદિ પ્રકારે ગૌચરી માટે ભ્રમણ કરે તે ભાવથી ઉનોદરતા જાણવી. હવે પર્યાય ઉણોદરતા કહે છે - દ્રવ્યમાં અનશન આદિ, ક્ષેત્રમાં ગામ આદિ, કાળમાં પૌરુષિ આદિ, ભાવમાં સ્ત્રીત્વ આદિમાં કહેલા જે ભાવ અર્થાત્ પર્યાયો - એક કોળીયો ઉણ આદિ, આ ધાં પણ દ્રવ્યપર્યાયોથી અવમૌદર્યને આસેવે છે. અવમચક પર્યાવચરક ભિક્ષુ થાય છે. અહીં પર્વતના ગ્રહણથી પર્યવ પ્રાધાન્ય વિવક્ષાથી પર્યવ ઉણોદરી કહી - - અથવા આ દ્રવ્યાદિ પર્યાયો વડે ન્યૂનત્વનો આસેવક થાય છે. એક કોળીયાના ઉનત્વ આદિમાં પણ નવા-પુરાણા આદિ વિશેષ અભિગ્રહવાળા, એ પ્રમાણે ગામ, પોરિસિ, સ્ત્રીત્વ આદિમાં પણ વિશિષ્ટ અભિગ્રહથી આ ઉણોદરતા જાણવી. - *-*-*આ પ્રમાણે ઉણોદરીને આશ્રીને ભિક્ષાચર્યા - - સૂત્ર - ૧૨૧૩ - આઠ પ્રકારના ગોચરાગ્ર, સાત પ્રકારે એષણા અને અન્ય અનેક પ્રકારના અભિગ્રહ તે ભિક્ષાચર્યા તપ છે. (વૃત્તિસંક્ષેપ તપ છે) • વિવેચન - ૧૨૧૩ આઠ પ્રકારના પ્રધાન આધા કર્માદિના પરિહાસ્થી, તે આ ગાયની જેમ ચરવું - ઉચ્ચ નીય કુળોમાં વિશેષથી પર્યટન તે અષ્ટવિધાગ્ર ગોયર. તથા સાત જ એષણા અભિગ્રહણ કરાય તે અભિગ્રહ, જે આનાથી અતિરિક્ત છે, તે ભિક્ષાચર્યાના વિષયપણાથી ભિક્ષાચર્યા વૃત્તિ સંક્ષેપ એવા બીજા નામથી કહેલ છે. અહીં આઠ પ્રધાન ગોચર ભેદો - પેંડા આદિ ઉમેરવા. Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy