________________
૧૧૨
ઉત્તરાધ્યાયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩
રૂપથી તે ગુપ્તિ વડે સર્વથા વચન નિરોધ રૂપ વચનગુપ્તિ યુક્ત થઈને મનના વ્યાપાર રૂપ ધર્મધ્યાનાદિનામાં એકાગ્રતા આદિથી યુક્ત થી અધ્યાત્મ યોગ સાધન યુક્ત થાય છે. વિશિષ્ટ વાગ્ ગુપ્તિ રહિત જ ચિત્તની એકાગ્રતાદિનો ભાગી થતો નથી. -x- સૂત્ર - ૧૧૬૮ •
ભગવન્ ! કાય ગુપ્તિથી જીવને શું પ્રાપ્ત થાય છે? કાય ગુપ્તિથી જીવ સંવરને પામે છે. સંવરથી કાયગુપ્ત થઈને ફરી થનારા પાપાશ્રવનો નિરોધ કરે છે.
• વિવેચન - ૧૧૬૮
શુભ યોગ પ્રવૃત્તિ રૂપ કાયગુપ્તિવાળાને અશુભ યોગનો નિરોધ પ્રાપ્ત થાય છે. સંવર વડે અભ્યસ્ત થઈને કાય ગુપ્ત થયેલો ફરી સર્વતા નિરુદ્ધ કાયિક વ્યાપારથી આશ્રવના હેતુરૂપ હિંસાદિ પાપાશ્રવનો નિરોધ કરે છે. તાત્ત્વિક રીતે આ ફળ પરંપરા સુપ્રસિદ્ધ છે.
- સૂત્ર - ૧૧૬૯ -
ભગવન્ ! મન સમાધારણતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? મનની સમાધારણતા જીવ એકાગ્રતાને પામે છે. એકાગ્રતા પ્રાપ્ત થઇને જ્ઞાન પર્ણવોને પામે છે, સમ્યકવને વિશુદ્ધ કરે છે, અને મિથ્યાત્વને નિર્જરે છે. – વિવેચન - ૧૧૬૯
અહીં ત્રણ ગુપ્તિ આદિથી યથાક્રમે મનની સમાધારણાના આદિનો સંભવ રહે છે. તેથી કહે છે - મનની સમિતિ, આગમ અભિહિત ભાવની અભિવ્યતિથી અવધારણા
વ્યવસ્થાપન તે મનની સમાધારણા, તેનાથી એકાગ્રતા જન્મે છે, એકાગ્રતાથી વિશિષ્ટતર વસ્તુ તત્ત્વના અવબોધરૂપ જ્ઞાન પર્યાવો પામે છે. તેના વડે સમ્યક્ત્વને વિશુદ્ધ કરે છે. આનું વિશુદ્ધત્વને વસ્તુ તત્ત્વાગમમાં તદ્વિષયક રુચિ પણ શુદ્ધતર સંભવે છે, તેથી જ મિથ્યાત્વને નિર્જરે છે.
·
·
-
• સૂત્ર - ૧૧૭૭ -
ભગવન્ ! વચન સમાધારણાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વયન સમાધારણાથી જીવ વાણીના વિષયભૂત દર્શન પવોને વિશુદ્ધ કરે છે. તેનાથી સુલભતાથી બોધિને પામે છે. બોધિની દુર્લભતાને ક્ષીણ કરે છે. • વિવેચન - ૧૧૩૦
Jain Education International
-
વચન સમાધારણાથી વચનના વિષયો પ્રજ્ઞાપનીય છે. અહીં તદ્વિષયક દર્શન પર્યાયો પણ ઉપચારથી તથોક્ત જ છે. તેથી દર્શન પર્યવ - સમ્યક્ત્વ ભેદરૂપ વાસાધારણ દર્શન પર્યવોને વિશુદ્ધ કરે છે. વયન દ્રવ્યાનુયોગના અભ્યાસથી તદ્વિષયક આશંકાદિ માલિન્યને દૂર કરવા વડે વિશુદ્ધ કરે છે. તેનાથી સુલભ બોધિત્વ પામે છે અને દુર્લભ બોધિકત્વને ક્ષીણ કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org