SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ ૦ સૂત્ર - ૧૧૧૫ ભગવન્ ! નિર્વેદથી જીવને શું પ્રાપ્ત થાય છે? નિર્વેદથી જીવ દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી કામભોગોમાં શીઘ્ર નિવેદ પામે છે. બધાં વિષયોમાં વિરક્ત થાય છે. થઈને સરંભનો પરિત્યાગ કરે છે. આરંભનો પરિત્યાગ કરી સંસાર માર્ગનો વિચ્છેદ કરે છે. અને સિદ્ધિ માર્ગને પ્રાપ્ત થાય છે. • વિવેયન ૧૧૧૫ - નિર્વેદ સંવેગથી અવશ્ય થનાર છે. માટે તેને કહે છે - અહીંથી આરંભીને બધે દર સુગમ હોવાથી પ્રશ્ન વ્યાખ્યા કરતા નથી. નિર્વેદ એટલે સામાન્યથી સંસારના વિષયોનો હું ક્યારે ત્યાગ કરીશ એવા પ્રકારના દિવ્ય, માનુષી, તૈર્રાય સંબંધી કામભોગોનો ઉક્ત રૂપથી નિર્વેદ જલદી આપે છે. આ ભોગો અનર્થનો હેતુ હોવાથી મારે તેનું કામ નથી. તથા બધાં શબ્દાદિ વિષયોથી વિરાગતા પામે છે. વિરક્ત થયેલો એવો તે પ્રાણિ પમર્દન રૂપ વ્યાપારનો ત્યાગ કરે છે. વિષયના અર્થપણાથી બધાં આરંભોનો પરિત્યાગ કરતો મિથ્યાત્વ, અવિરતિ આદિ સંસાર માર્ગનો વિચ્છેદ કરે છે, તેના ત્યાગ વાળાને જ તત્ત્વથી આરંભનો પરિત્યાગ સંભવે છે. તેના વિચ્છેદથી સિદ્ધિ માર્ગ - સમ્યક્ દર્શનાદિને પામીને, તે માર્ગનો સ્વીકાર કરનારા થાય છે. · . સૂત્ર ૧૧૧૬ ભગવન્ ! ધર્મશ્રદ્ધાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ધર્મશ્રદ્ધા વડે જીવ સાત સુખોની આસક્તિથી વિરક્ત થાય છે. ગાર ધર્મનો ત્યાગ કરે છે. અણગાર થઈને છેદન, ભેદન, આદિ શારીરિક તથા સંયોગાદિ માનસિક દુઃખોનો વિચ્છેદ કરે છે. અવ્યાબાધ સુખને પામે છે. • વિવેચન - . - ૧૧૧૬ - નિર્વેદ થતાં સર્વ કલ્યાણ નિબંધન એવી ધર્મ શ્રદ્ધા થાય છે. ધર્મ શ્રદ્ધાથી સાતાવેદનીય જનિત સુખો, તેમાં વૈષયિક સુખોમાં ચાવત્ પૂર્વે રાગ કરતો હોય, તેમાં વિરક્તિને પામે છે. ગૃહાચાર કે ગાર્હસ્થ્ય ધર્મનો પરિહાર કરે છે. કેમકે તેના અત્યાગથી માત્ર વિષયસુખાનુરાગ બંધાય છે. ત્યાર પછી અણગાર - ગૃહત્યાગી સાધુ થઈને તે જીવ શારીરિક માનસિક દુઃખોનો વિચ્છેદ કરે છે. આ દુઃખો કેવા છે? Jain Education International - - છેદન, ભેદન સંયોગાદિવાળા છેદન - ખડ્ગ આદિ વડે બે ટુકડા કરવા. ભેદન ભાલા આદિથી વિદારવા રૂપ. આદિ શબ્દથી અહીં તાડન આદિ પણ ગ્રહણ કરવા. તે છેદન ભેદનાદિથી શારીરિક દુઃખોનો સંયોગ - અનિષ્ટ સંબંધ અને ઇષ્ટ વિયોગાદિને પણ ગ્રહણ કરવા. પછી સંયોગાદિના માનસ દુઃખોના વિશેષથી તેનો પણ વિચ્છેદ કરે છે. તેનાથી નિબંધન કર્મનો ઉચ્છેદ થાય છે. તેથી જ અવ્યાબાધ સર્વે પીડાથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy