SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ • સબ-૬ પોતાના હિતને ઇચ્છતો ભિક્ષા સડેલ કાનવાળી કુતરી અને વિઠાભજી સુવર સમાન દુરશીલથી થનારી મનુષ્યની હીન સ્થિતિને સમજીને પોતાને વિનયમાં સ્થાપિત કરે છે. • વિવેચન-૬ દર્શનમાં અશોભન એવા ભાવ • બધેથી કાઢી મૂક્વા રૂપ લક્ષણ સાંભળીને, પૂર્વોક્ત કુતરી તથા ભુંડની ઉપમાવત મનુષ્યના અશોભનરૂપને સાંભળીને આત્માને હવે કહેવાનાર વિનય રૂપમાં સ્થાપે. કોણ ? આત્માના આલોક અને પરલોકરૂપ પથ્ય-હિતને ઇચ્છનાર. ~ જો એમ હોય તો તે સાધુ (શિષ્ય) શું કરે ? • સૂત્ર - ૭ એ કારણે વિનય કરવો જોઈએ, જેનાથી શીલની પ્રાપ્તિ થાય. જે બુદ્ધપુત્ર છે, મોકાણ છે. તે ક્યાંયથી પણ કાઢી મૂકાતો નથી. • વિવેચન-૭ જે કારણે વિનય દોષના દર્શનથી આત્મા સ્થાપવો જોઈએ, તે કારણે વિનય કરવો જોઈએ. એ પ્રમાણે આત્માને વિનયમાં સ્થાપવો જોઈએ. આ વિનયનું ફળ શું છે? જે કારણે અહીં આત્માનું અવસ્થાપન ઉદેશેલ છે, તે આશંકાને માટે કહે છે - વિનયથી ઉક્તરૂપ શીલની પ્રાપ્તિ થાય છે. આના વડે વિનયનું શીલપ્રાપ્તિ ફળ કહ્યું. તેનું પણ ફળ કહે છે - તત્ત્વને પામેલા તીર્થંકરાદિ વડે કહેવાયેલ અને તેના નિજક - જ્ઞાનાદિ, તેને જ બુદ્ધો વડે આત્મીયત્વથી સ્વપણે કહેલ હોવાથી તે બુદ્ધોક્તનિજક છે, તેને પામવાની ઇચ્છાવાળા પુત્ર સમાન શિષ્યો તે બદ્ધપત્ર અને જેમાં નિરંતર પૂજા છે તે આ નિયામ-મોક્ષ. તેના અર્થને ગછ કે ગણાદિથી બહાર કરાતા નથી. પણ બધાં ગુણના આધારરૂપ વિનિતપણાથી બધે જ મુખ્ય કરાય છે. આ વિનય કઈ રીતે પામવો તે કહે છે - • સુણ - ૮ શિષ્ય ગુરુજનોની પાસે સદા પ્રશાંત ભાવથી રહે, વાચાળ ન બને અર્થપૂર્ણ પદોને શીખે, નિરર્થક વાતોને છોડી દે. • વિવેચન-૮ અતિશય ઉપશમવાળા, ક્રોધના પરિહાર વડે અંતરથી અને પ્રશાંત આકાર પણે બહારથી શાંત તેવા નિશાંત થાયવાચાળ ન બનીને આચાર્ય આદિ સમીપે રહે. હેચ, ઉપાદેય, ઉભય રૂપ અર્થને જાણે અર્થાત આવા આગમ વચનોને જાણે અથવા મુમુક્ષુ વડે પ્રાર્થના કરતા અર્થ - મોક્ષ, તેના વડે યુક્ત - ઉપાયપણાથી સંગત અર્થ એવા તિજન ઉચિત અને વિપરીત એવા નિરર્થક કે વૈશ્ચિક વાત્સ્યાયનાદિ સ્ત્રી કથા વગેરેનો પરિહાર કરે. અહીં નિશાંત, આ શબ્દ વડે પ્રશમદિને આશ્રીને તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy