SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 (૮૩૭) જો તું રૂપમાં વૈશ્રમણ હો, લલિતથી નલકુબેર હો, તું સાક્ષાત્ કેંદ્ર હો તો પણ હું તને ઇચ્છતી નથી. (અગંધન ફૂળમાં ઉત્પન્ન સર્પ ધૂમ કેતુ, પ્રજ્વલિત, ભયંકર, દુઃવેશ્ય અગ્નિમાં પ્રવેશ કરે પણ તમેલને ફરી પીવા ન ઇચ્છે.) (૮૩૮) હે સશોકામી! ધિક્કાર છે તેને કે તું ભોગીજીવનને માટે, ત્યક્ત ભોગોને ફરી ભોગવવા ઇચ્છે છે, તેના કરતાં તારું મરવું શ્રેયસ્કર છે. (૮૩૯) હું ભોજરાજાની પુત્રી છું. તું અંધકવૃષ્ણિનો પુત્ર છે. આપણે કુળમાં ગંધન સર્પ જેવા ન બનીએ. તું નિભૂત થઈ સંયમ પાળ, (૮૪૦) જો તું જે કોઈ સ્ત્રીને જોઈને આ પ્રમાણે જ રાગભાવ કરીશ, તો વાયુથી પિત હડની માફક અસ્થિતાત્મા થઈશ. (૮૪૧) જેમ ગોપાલ અને ભાંડપાલ તે દ્રવ્યના સ્વામી હોતા નથી, તે પ્રમાણે તું પણ શ્રામાનો સ્વામી નહીં થાય. (૮૪૨) તું ક્રોધ, માન, માયા લોભનો નિગ્રહ કર. ઇંદ્રિયોને વશ કરી તેને પોતાને ઉપસંહર, • વિવેચન - ૮૩૫ થી ૮૪૨ ભોધોગ - ઉત્સાહ ચાલી ગયેલ. શેમાંથી સંયમમાંથી. સ્ત્રી પરીષહથી પરાજિત થયેલ. અસંભ્રાન્ત - આ બળથી કાર્યમાં પ્રવર્તશે નહીં એવા અભિપ્રાયથી અત્રસ્ત. થઈને પોતાને વસ્ત્રો વડે ઢાંકી દે છે. નિયમ અને વ્રતમાં નિશ્વલ રહેવું - ઇંદ્રિય અને નોઇદ્રિયનું નિયમન કરી પ્રવ્રજ્યામાં જાતિ, કુલ, શીલની રક્ષા કરવી. કદાય શીલના ધ્વંસથી જ આવા પ્રકારની નિમ્ન જાતિ અને કુળની સંભાવના રહે છે. તું આકાર સૌંદર્યથી ધનદ હો, સવિલાસ ચેષ્ટિતથી ‘કુબેર’ નામે દેવ વિશેષ હો કે સાક્ષાત્ ઇન્દ્ર - રૂપાદિ અનેક ગુણ આશ્રિ હો. રૂપાદિ અભિમાનીને આ પ્રમાણે જ કહે. અથવા તારા પૌરુષને ધિક્કાર છે, હે અયશની કામના વાળા! અકીર્તિના અભિલાષી! દુરાચારને વાંછે છે. તેમાં યશ - મહાકુળ સંભવ ઉદ્ભૂત. કામિ - ભોગની અભિલાષા કરનારા! જીવિતના નિમિત્તે, ઉલટી કરાયેલા ભોગને ફરી ઇચ્છે છે, શિયાળ પણ પરિહરેલાની ઇચ્છાથી દૂર રહે છે. આ વમેલાને ફરી પીવા કરતા તો તારું મરણ થઈ જાય તે જ કલ્યાણકારી છે. કેમકે મરણમાં અલ્પદોષ છે. - હું ભોગરાજ ઉગ્રસેનના કુળમાં જન્મી, તું અંધકવૃષ્ણિના કુળમાં ઉત્પન્ન થયો. તો આપણે ગંધન-સર્પ વિશેષ જેવા ન થઈએ. કેમ કે તેઓ જ વમેલા વિષને. બળતા અગ્નિમાં પડવાના ભયથી ફરી પીએ છે. વૃદ્ધો કહે છે - સર્પો બે જાતિના હોય, ગંધન અને અગંધન. તેમાં ગંધન સર્પો ડસ્યા પછી મંત્ર વડે આકૃષ્ટ કરાતા, વિષને વ્રણના મુખથી પી જાય છે. અર્ગંધન સર્પો મરણને પસંદ કરે, પણ વમેલુ ન પીએ. તો શું કરવું જોઈએ? તે કહે છે - સંયમમાં સ્થિર થવું. કેમકે જો તું ભોગાભિલાષથી જે જે સ્ત્રીને જોઈશ, તેમાં તેમાં આકર્ષિત થઈશ, તો વાયુ વડે તાડિત હઠ વનસ્પતિની જેમ અસ્થિતાત્મા - ચંચળ ચિત્ત વડે અસ્થિર સ્વભાવનો થઈ જઈશ. Jain Education International For Private & Personal Use Only . www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy