________________
૨૦૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્રસટીક અનુવાદ • સૂત્ર - ૧૩ -
સિદ્ધો અને સંતોને ભાવથી નમસ્કાર કરીને હું મોક્ષ અને ધર્મ સ્વરપ બોધક વસ્ત્ર પૂર્ણ શિક્ષાનું કથન કરું છું. તે સાંભળો.
• વિવેચન - ૫૩ -
રિસરા - બદ્ધ આ અષ્ટવિધ કર્મ, તેને ભસ્મસાત કરવાથી તે સિદ્ધ - ધ્યાન અગ્નિ વડે બાળી નાંખેલ છે. આઠ પ્રકારના કર્મ ઇંધણ જેણે તેમને. શો અભિપ્રાય છે? તીર્થકર સિદ્ધ અને બીજા સિદ્ધોને નમસ્કાર કરીને સર્વ સાવધ વ્યાપારોથી ઉપરત એવા આચાર્ય, ઉપાધ્યાય અને સર્વે સાધોને ભાવથી - પરમાર્થથી. આ પંચ પરમેષ્ઠી રૂપ ઇષ્ટ દેવતાની સ્તવના, અભિધાપ અને અભિધેયાદિ ત્રણને કહે છે. અર્થ અને ધર્મ. અર્થ • હિતાથ વડે અભિલાષા કરાય છે તે. આ અર્થ અને ધર્મથી ગતિ - ગત્યર્થ અને જ્ઞાનાર્થ પણ હિતાહિત લક્ષાણરૂપ સ્વરૂપનો બોધ જેના વડે છે તે અર્થધર્મગતિ.
તથ્ય - અવિપરીત, હિતોપદેશ રૂપ શિક્ષાને સાંભળીને હું કથન કરું છું. આ સ્થવિર વયન છે. આના વડે પૂર્વોત્તરકાળ ભાવિ બે ક્રિયા અનુગત એક કત પ્રતિપાદન વડે આત્માનું નિત્ય-અનિત્વ કહેલ છે. - x- - - *- અહીં શિક્ષા એ અભિધેય છે. અર્થ ધર્મગતિ એ પ્રયોજન છે. આ બંનેનો પરસ્પર ઉપાય - ઉપેય ભાવ લક્ષણ સંબંધ સામર્થ્યથી કહ્યો. હવે ધર્મ કથાનું યોગત્વથી આનું ધર્મકથા કથન -
• સૂત્ર - ૭૧૪ થી ૨૦ •
(૧૪) પયુર રનોથી સમૃદ્ધ મગધાધિપતિ સા શ્રેણિક મંડિકુક્ષિ ત્યમાં વિહાર યાત્રાને માટે નગરી નીકળ્યો. (૭૫) તે ઉધાન વિવિધ વૃક્ષ અને લતા અકીef હતું. વિવિધ પક્ષની પરિસેવિત હતું. વિવિધ પુષ્પોથી આચ્છાદિત અને નંદનવનની સમાન હતું.
(૧૬) રાજાએ ઉધાનમાં વૃક્ષ નીચે બેઠેલા એક સંયત, સુસવાહિત, સુકુમાર, સુખોચિત સાધુને જોયા. (૧૭) સાધુના અનુપમ રૂપને જોઈને ગજને તેમના પતિ ઘણું જ અધિક અને અતુલનીય વિસ્મય થયું.
(૧૮) અહોશું વર્ષ છે? શું રૂપ છે? અમે આની કેવી સીયતા છે? કેવી ક્ષતિ છે? કેવી મુક્તિ • નિર્લોભતા છે? અહો ભોગો પ્રતિ કેવી અસંગતા છે?
(૧૯) મનિના ચરણોમાં વંદના કરી પ્રદક્ષિણા કરી, પછી યોગ્ય સ્થાને ઉભો રહી અને હાથ જોડીને મુનિને પૂછયું : (૨૦) હે આર્સ તમે હજી યુવાન છે, તો પણ ભોગાળમાં દીક્ષિત થયા, શ્રમણ્યમાં ઉપસ્થિત થયા તેનું શું કારણ છે, તે હું સાંભળવા ઇચ્છું છું.
• વિવેચન - ૦૧૪ થી ૨૦ - સાતે સૂત્રો પાઠ સિદ્ધ છે. રત્ન - મરકતાદિ કે પ્રવર હાથી ઘોડાદિ રૂપ. વિહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org