SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ આશા - મનોરથ રૂ૫, તે જવાથી ‘ગતાશ' થાય છે. ભગ્ન ગાત્રથી તે દુ:ખને પામે છે. કલ્પિત વસ્ત્રવત ખંડિત. કલાની વડે પાડેલ - બે ટુકડા કરેલ, ઉર્ધ્વમાં છરિકા વડે છિન્ન - ખંડિત. એ પ્રમાણે આયુક્ષયથી મૃત્યુ પામતા અથવા મુરાધિથી ચામડી ઉતરડાય છે. પાશ - કૂટજાળ, તે બંધન વિશેષથી પરવશ, ગ્રહણ કરાતો બંધન વડે બંધાતો, બાહાપચાર નિષેધ વડે રંધાતો વિનાશિત થાય. ગલ અને મકર આકાર અનુસરી પઆધાર્મિક વડે વિરચિત જાળો વડે, ગળાથી પકડાતો અને મકર ગૃહીત જાળ વડે પડાતો અથવા મકર જાળ વડે ગૃહીત છતાં મરાતો, તથાવિધ શ્યનાદિ જાળથી બંધાતો, વજલપાદિથી અર્થાત્ શ્લેષ દ્રવ્યો વડે ચોંટાડાતો. અથવા પક્ષીની જેમ પડીને, વિદેશક જાળ વડે બંધાઈને લેપદ્રવ્યો વડે ચોંટાડીને મરાયો હતો. સૂક્ષ્મ ખંડો કરાયા હતા અને વૃક્ષની જેમ ચામડી ઉતારય છે. થપ્પડ અને મુઠ્ઠી વડે મરાય છે, લુહારની જેમ ઘણ આદિથી ટીપાય છે. મરાય છે, છિન્ન-ભિન્ન કરાય છે. પ્રક્રમથી પરમાધાર્મિકો વડે તમ તાસાદિ વિમુવીને અથવા પૃથ્વી અનુભાવ રૂપથી કલકલ શબ્દ કરતો અતિ ઉષ્કાળાય છે. ત્યાર પછી પરમાધામી તેને કહે છે - હે ! તને માંસના ટુકડા ને તે પણ પકાવાયેલા બહુ પ્રિય હતા ને? એમ કહી તે નારકીના એટલે કે મારા જ શરીરનું માંસ છેદીને અતિ તમ એવા માંસ મને ખવડાવતા હતા. મધાદિ મને પ્રિય હતા, તે યાદ કરાવીને બળતા એવા અતિ ઉષ્ણ ચરબ્બી અને લોહી મને પીવડાવતા હતા. નરકની વાવ્યતાનો ઉપસંહાર કરતા કહે છે - અહીં ભયથી ત્રસ્ત થઈને, ઉદ્વેગ પામીને જ વિવિધ દુ:ખોને પામ્યો. વ્યથિત થયો. - *- તીવ્ર અનુભાગથી તે જ ઉત્કટ, પ્રગાઢ, ઘોર, રૌદ્ધ. અત્યંત દુરધ્યાસ વેદના અનુભવી. મહતી ભય પ્રદ વેદના વેદી. આ બધાં એકાઈક અથવા અત્યંત ભય ઉત્પાદનને માટે કહેલાં શબ્દો છે. વળી તે વેદના કઈ રીતે અતિ તીવાદિ રૂપ હતી, તે આશંકાથી કહે છે કે - આ અતિ વેદનાથી અપેક્ષાથી નરકની દુઃખ વેદના અનંતગુણ હતી. વળી મેં કેવળ આ નરકની દુઃખ વેદના જ અનુભવી નથી, પરંતુ બધી જ ગતિમાં પુનઃ નિગમના દ્વારથી કહે છે - આ અસાતા દુઃખરૂપ વેદના મધ્યે આંખના પલકારા માત્ર એટલો કાળ પણ મેં સાતા સુખરૂપ વેદના ન અનુભવી, તત્ત્વથી અહીં વૈષયિક સુખ અસુખ જ છે. કેમકે ઈર્ષ્યાદિ અનેક દુઃખથી વિદ્ધ થઈને વિપાક દારુણ પણાથી તેમાં કોઈ સુખ નથી. આ આખા પ્રકરણનો આશય એ છે કે - જે મેં આંખના પલકારા માત્ર જેટલો કાળ પણ સુખ ન મેળવ્યું, તો પછી હું કઈ રીતે સુખોચિત કે સુકમાર કહેવાઉં? જેણે નરકમાં અતિ ઉષ્ણ અને શીતાદિ મમવેદના અનેક વખત સહન કરી, તેને મહાવ્રત પાલન કે સુધાદિ સહેવા તેમાં કઈ બાધા થવાની? તત્ત્વથી તે પરમ આનંદનો હેતુ છે. તેથી મારે પ્રવજ્યા જ સ્વીકાસ્વી જોઈએ. તેણે આમ કહ્યું ત્યારે... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy