________________
૧૮૮
ઉત્તરાધ્યયન મૂલગ-સટીક અનુવાદ શ્રમણત્વ • પ્રવજ્યાને સ્વીકારીશ. ત્યારે તેના માતા-પિતાએ તેને ભોગને માટે ઉપ નિમંત્રણ કરવાના અભિપ્રાયથી જે કહ્યું, તે સૂત્રકાર કહે છે -
• સૂત્ર - ૬૫ થી ૬ર૭ -
(૬૫) હે માતાપિતાાં ભોગો ભોગવી ચૂક્યો છું, તે વિષફળ સમાન, પછી કવિપાકવાળા અને નિરંતર દુઃખ દેનારા છે.
(૬૨૬) આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે, આશયથી ઉત્પન્ન છે, આ આવાસ અશાશ્વત છે. તથા દુઃખ અને કલેશનું ભાજન છે.
(૬૨) આ શરીરને પહેલાં કે પછી છોડવાનું જ છે. તે પરપોટાની સમાન છે, તેથી તેમાં મને આનંદ પ્રાપ્ત થતો નથી.
• વિવેચન - ૬૫ થી ૬ર૭ -
ત્રણે સૂત્રોનો અર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે - વિશ્વ એટલે વિષવૃક્ષ, તેના ફળ તે વિષફળ, તેની ઉપમાથી કહે છે, પાછળથી કટુ છે. તેનો વિપાક અનિષ્ટપણે છે, આભે જ મધુર દેખાય છે. અનાવચ્છિન્ન દુઃખદાયી છે. જેમ વિષફળ આરંભે સ્વાદિષ્ટ પણ પછીના કાળે મધુર અને કવિપાકના સાતત્યથી દુ:ખને લાવનાર છે. આ કામ સ્પર્શ પ્રધાન છે, સ્પર્શ શરીરને આશ્રીને છે. શરીર અનિત્ય છે. સ્વાભાવિક શૌચ રહિત છે. તે અશુચિરૂપ શુદ્ધ અને શોણિતથી ઉત્પન્ન છે. તે કથંચિત રહેવા છતાં જીવનું અવસ્થાન તેમાં અનિત્ય છે. આના વડે અતીવ અસારત્યાવેશ સૂચવ્યો. દુઃખ - અશાતા, તેનો હેતુ તે કલેશ - જવરાદિ રોગોનું સ્થાન છે. તે કારણે મને તેમાં રતિ પ્રાપ્ત થતી નથી. શરીરના આશ્રયપણે હોવાથી ભોગમાં પણ રતિ નથી. શરીરનું શાશ્વતત્વ એ છે કે - તે પહેલાં કે પછી ત્યાજ્ય જ છે. પછી વૃદ્ધાવસ્થામાં અને પૂર્વે બાલ્યાદિમાં ભોગે ત્યજે છે. આયુ ક્ષય થતાં અવશ્ય ત્યાજ્ય છે. વળી શરીર ક્ષણમાં દૃષ્ટ-નષ્ટ પણે છે. આના વડે અશાશ્વતત્વ કહ્યું.
એ પ્રમાણે ભોગનિમંત્રણનો પરિહાસ કરીને હવે સંસારના નિર્વેદનો હેતુ કહે છે • સૂત્ર - ૬૨૮ થી ૬૩૧ -
(૬૨૮) વ્યાધિ અને રોગોનું ઘર તથા જા અને મરણથી ગ્રસ્ત આ અસાર મનુષ્ય શરીરમાં એક ક્ષણ પણ મને સુખ મળતું નથી.
(૬૨૯) જન્મ દુઃખ છે, જરા દુઃખ છે. રોગ દુઃખ છે. મરણ દુઃખ છે. અહો! સંસાર જ દુખ રૂપ છે, જ્યાં જીવ કલેશ પામે છે.
(૬૩) ક્ષેત્ર, વાસુ, હિરણ્ય, પુત્ર, સ્ત્રી, બહુજન અને આ શરીરને છોડીને એક દિવસ વિવશ થઈને મારે સાલું જવાનું છે.
(૬૩૧) જેમ વિષ રૂપ કંપાક ફળોનું પરિણામ સુંદર હોતું નથી તેમ ભોગવેલા ભોગોનું પરિણામ પણ સુંદર હોતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org