SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૧0 ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર નોંધ ક્રમશ: ૧૪૪ થી પર સૂની છે - ) સંમર્દન - હિંસા કરતો, પ્રાણના યોગથી પ્રાણી - બેઇંદ્રિયાદિ. બીજ - શાલિ આદિ. હરિત - દૂ આદિ. ઉપલક્ષણથી બધાં એકેન્દ્રિયો લેવા. પોતાને સંયત માને, આના વડે આ લોકોને સંવિનુપાક્ષિકત્વ પણ નથી. તેમ કહ્યું. સંસ્કાર - કંબલ આદિ, ફલક - ચંપક પટ્ટાદિ. પીઠ - આસન, નિષધા - સ્વાધ્યાય ભૂમિ આદિ, જેમાં બેસાય છે. પાદબ્બલ-પાદપુછના, અપમૃજ્ય- રજોહરણાદિ વડે શોધ્યા વિના, ઉપલક્ષણત્વથી પ્રપેક્ષા કર્યા વિના. દવદવ - જલ્દી જલ્દી, તથાવિધ આલંબન વિના પણ વસ્તિ ચાલે. ગોચર ચર્યાદિમાં પરિભ્રમણ કરે છે. પ્રમત્ત - પ્રમાદવશ થાય છે. ઉલ્લંઘન - બાલાદિને ઉચિત પ્રતિપત્તિકરણ છતાં ઉલ્લંઘે, ચંડ - ક્રોધ અથવા પ્રમત્ત - ઇર્ષા સમિતિમાં અનુપયુક્ત, મર્યાદાઓને ઉલંઘક. પડિલેહણ - પ્રમાદી થઈને પ્રત્યપ્રેક્ષા કરે, અપોઝતિ • જ્યાં ત્યાં ફેંકે છે, પ્રત્યપ્રેક્ષા કરતો નથી. પાદકંબલ - પાત્ર કે કંબલને. આનાથી બધી જ ઉપધિ લેવી. તે આ પ્રમાણે પ્રપેક્ષામાં અનુપયુક્ત રહે. વિકથામાં આક્ષિણ ચિત્ત થઈને પડિલેહણા કરે, ગુરુ સાથે વિવાદ કરે અથવા ગુરુની અવહેલના કરે કે અસભ્ય વચનો કહે અથવા એમ કહે કે- જાતે જ પડિલેહણા કરી લો, તમે અમને આમ જ શીખવેલ છે, તે તમારો જ દોષ છે, એ પ્રમાણે પ્રમાદમાં વર્તે. વિરૂપવાદ તે વિવાદ - વાક્રકલહ, કંઇક ઉપશાંત થયેલા hહને પણ વધારે. અધર્મ - અવિધમાન સદાચાર, અપહહ - આત્મ પ્રસ્ત, તેને હણે. કોઈ પૂછે કે - ભવાંતરમાં જનાર આત્મા છે કે નહીં? ત્યારે તેના પ્રશ્નને અતિ વાચાળતાથી હણે છે. જેમ કે પ્રત્યક્ષાદિ પ્રમાણના આભાવે આત્મા જ નથી, તેથી આ પ્રશ્ન અયુક્ત છે. - ૪ - - વુમ્મહ - બુદ્રગ્રહ, દંડાદિ ઘાત જનિત વિરોધ, કલેહ - તે જ વાચિક થાય. ચત્ર સત્ર • સંસક્ત રજક આદિમાં, નિષિદતિ - બેસે છે. આસન - પીઠ આદિ, અનાયુક્ત - અનુપચુકત થઈને. શેષ પૂર્વવતુ. સરજસ્ક - જ સહિત વર્તે છે તેવા પગ જેના છે તે. સ્વપિતિ- સંયમ વિરાધના પ્રતિ ડર્યા વિના પગને પ્રમાર્યા વિના સુવે છે અથત વસતિની પ્રતિલેખના ન કરે, ન પ્રમાશેં. સંતારક - ફલક, કંબલ આદિ. અનાયુક્ત - કુકડીની જેમ પગ પ્રસારણ. આદિ આગમ અર્થમાં અનુપયુક્ત. • સૂત્ર - પપ૩ થી ૫૫૫ - (૫૩) જે દૂધ, દહીં અદિ વિગઈઓ વારંવાર ખાય છે, જે તપ અને ક્રિયામાં રુચિ રાખતા નથી, તે પાપભ્રમણ કહેવાય છે. (૫૪) જે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વારંવાર ખાતો રહે છે, જે સમજાવવાથી ઉલટો વર્તે છે, તે પાપભ્રમણ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy